અમદાવાદ શહેરમાં આવેલ ચિરિપાલ કંપનીના હેડ ક્વાર્ટર સામે વીમો પકવવા આગ લગાવી હોવાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે ચિરિપાલની બે કંપનીઓમાં છેલ્લા છ મહિનામાં આગી લાગી હતી. જેમાં 10 લોકોના મૃત્યું થયા હતા.
અમદાવાદમાં ચિરિપાલ કંપની હેડ ક્વાર્ટર સામે દેખાવો
ક્વાર્ટર સામે યુથ કોંગ્રેસ દ્વારા દેખાવો
વીમો પકવવા આગ લગાવાઇ હોવાના આક્ષેપ
અમદાવાદમાં ચિરિપાલ કંપની હેડ ક્વાર્ટર સામે યુથ કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યાં હતા. ચિરિપાલ કંપની સામે વીમો પકવવા આગ લગાવાઇ હોવાના આક્ષેપ સાથે યુથ કોંગ્રેસે પ્રદર્શન કર્યું હતું.
ઉલ્લેખનિય છે કે 6 મહિનામાં ચિરિપાલની બે કંપનીમાં આગ લાગી હતી. નારોલ અને ધોળકાની કંપનીમાં લાગેલી આગમાં 10 લોકોનાં મૃત્યુ થયાં હતા. દેખાવો કરી રહેલા યૂથ કોંગ્રેસના તમામ લોકોની પોલીસે અટકાયત કરી છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ચિરિપાલ ગ્રુપ સામે તપાસની માગને લઇને મુખ્યમંત્રી રૂપાણીને પત્ર લખ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો હતો. ધોળકા અને નારોલની ચિરિપાલ કંપનીમાં બનેલી ઘટના અંગે તપાસની માગ કરી હતી. ઋત્વિજ મકવાણા, ગુલાબસિંહ રાજપૂત, રાજેશકુમાર ગોહિલ, બળદેવજી ઠાકોર અને રઘુ દેસાઇએ પત્ર લખી માગ કરી હતી.