લોક જન શક્તિ પાર્ટી (LJP) ની મંગળવારે થયેલી સંસદીય દળની બેઠકમાં સર્વસંમતિથી ચિરાગ પાસવાનને અધ્યક્ષ પદેથી મુક્ત કરવાનો નિર્ણય લેવાયો છે.
LJP માં કાકા પશુપતિ પારસનો કબજો
ચિરાગ પાસવાનને રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી હટાવાયા
સૂરજભાન સિંહને LJP ના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા
સૂરજભાન સિંહને LJP ના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
ચિરાગ પાસવાન એકીસાથે ત્રણ-ત્રણ હોદ્દો ભોગવતો હોવાનું કારણ આપીને તેમને હટાવાયા હોવાનું જણાવાઈ રહ્યું છે. ચિરાગ પાસવાનની જગ્યાએ સૂરજભાન સિંહને LJP ના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે. રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષને 5 દિવસની અંદર રાષ્ટ્રીય પરિષદની બેઠક બોલાવવાનો આદેશ અપાયો છે. પાર્ટીમાં પોતાનો દબદબો જાળવી રાખવા માટે ચિરાગ પાસવાન જ્યારે સોમવારે દિલ્હીમાં તેમના કાકા પશુપતિ કુમાર પારસના ઘેર પહોંચ્યા ત્યારે મીડીયા રિપોર્ટમાં જણાવાયું કે તેઓ એક પ્રસ્તાવ લઈને ગયા હતા જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ પદથી તેમના રાજીનામાની ઓફર સાથે તેમની માતા રીના પાસવાનને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની માંગ સામેલ હતી.
ચિરાગના કાકા પશુપતિ પારસ પર પાર્ટીનો કબજો
પરંતુ ચિરાગે પોતાના કાકાના ઘરના બંધ ગેટ પર 20 મિનિટ સુધી રાહ જોવી પડી હતી તેમ છતાં પણ મુલાકાત થઈ શકી નહોતી. પશુપતિ કુમાર પારસ ચિરાગને બાદ કરતા બાકીના 5 સાંસદોના ટેકાથી પાર્ટી પર પૂરો કબજો જમાવવાની તૈયારીમાં છે. પશુપતિ પારસ ચિરાગ સાથે કોઈ પણ સમાધાન કરવા તૈયાર નથી. ચિરાગનો પિત્રાઈ ભાઈ પ્રિન્સ રાજ પણ કાકા પારસ સાથે છે. આવી સ્થિતિમાં ચિરાગ પાર્ટીમાં એકલો પડી ગયો છે.
ચિરાગ પાસવાને કાકાને નામે લખ્યો ઈમોશનલ લેટર
બેઠક પહેલા ચિરાગે કાકાના નામે એક અત્યંત ભાવુક ટ્વિટ કરીને જણાવ્યું કે પાપાની બનાવેલી આ પાર્ટી અને પરિવારને એક કરવાનો મેં પ્રયાસ કર્યો પરંતુ સફળ ન રહ્યો. પાર્ટી માતા સમાન છે અને માતા સાથે દગાબાજી ન કરવી જોઈએ. લોકશાહીમાં જનતા સર્વોપરી છે. પાર્ટીમાં આસ્થા રાખનાર લોકોનો હું આભાર માનું છું. ચિરાગ પાસવાને કાકાને નામે એક જુનો પત્ર પણ શેર કર્યો.
જાણો શા માટે કાકાએ ભત્રીજાને કદ પ્રમાણે વેતરી નાખ્યો
LJP અધ્યક્ષના નાતે ચિરાગ પાસવાન ઘણા લાંબા સમયથી એકહથ્થું નિર્ણયો લેતા હતા. પાર્ટીમાં સિનિયર નેતાઓ અને સાંસદોનું પણ સાંભળતા નહોતા. ચિરાગના આ વ્યવહારથી પાર્ટીમાં તેમની સામે અસંતોષ વધી રહ્યો હતો. પાર્ટીમાં રહીને કાકા પશુપતિ પારસ આ બધું જોઈ શકતા નહોતા તેથી તેમણે પાંચ સાંસદો સાથે ગુપ્ત બેઠક કરીને સૌથી પહેલા તો ચિરાગને સંસદીય દળના નેતા તરીકે હટાવી દીધા ત્યાર બાદ હવે તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી પણ દૂર કરી દીધા.