ખગડિયામાં ચિરાગ પાસવાને નીતિશ કુમાર પર આકરા પ્રહાર કર્યા છે. ચિરાગે કહ્યું કે હવે નીતિશ કુમાર ફરીથી બિહારના મુખ્યમંત્રી બનવાની શક્યતા નહીંવત છે. બિહાના કરોડો લોકો આ અંગે જણાવી રહ્યાં છે. ચિરાગ પાસવાન સોમવારે ખગડિયામાં પૈતૃક ગામ શહરબન્નીમાં દિવંગત પિતા રામવિલાસ પાસવાનની અસ્થિઓનું વિસર્જન કરવા પહોંચ્યાં હતા. આ દરમિયાન તેમની સાથે મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યાં.
LJP ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને કહ્યું કે નીતિશ સરકાર સામે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. 10 નવેમ્બરના રોજ ચૂંટણી પરિણામ આવી રહ્યું છે, જે ચોંકાવનારું હશે. નીતિશ કુમાર આ વખતે સત્તામાંથી બહાર ફેંકાઇ જશે.
ચિરાગ પાસવાને કહ્યું બિહાર ભાજપના નેતા મારા માટે ભલે કોઇપણ પ્રકારની ટિપ્પણી કેમ ન કરે, પરંતુ હું ગઠબંધન ધર્મનું પાલન કરીશ. ચિરાગ પાસવાને દાવો કર્યો છે કે એકવાર ફરી નીતિશ કુમારનું મુખ્યમંત્રી બનવું અશક્ય છે. પાસવાને કહ્યું કે વ્યક્તિગત રીતે મારા કહેવાનું નથી, પરંતુ બિહારના કરોડો લોકો કહી રહ્યાં છે.
શહરબન્ની ગામથી કેટલાંક કિલોમીટર દૂર આવેલ ફૂલતોડા ઘાટ પર ચિરાગ પાસવાને દિવગંત પિતા રામવિલાસ પાસવાનની અસ્થિઓનું વિસર્જન કર્યું. ત્યારબાદ પૈતૃક નિવાસ શહરબન્ની જઇને પોતાના પિતાના ફોટો પર ધૂપ-દીપ અને ફૂલ ચઢાવીને શ્રદ્ધાંજલિ અર્પી.