સ્વામી ચિન્મયાનંદ પ્રકરણમાં સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર દિલ્હી પોલીસની એક ટીમ શનિવારે પીડિત છોકરીના માતાપિતા સાથે મળાવવા માટે દિલ્હી લઇને રવાના થઇ ગઇ. પીડિતાના પિતાએ ફોન પર બતાવ્યું કે આજે દિલ્હી પોલીસે એમને સુપ્રીમ કોર્ટના નિર્દેશની નકલ આપતા બતાવ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર એમને પોતાની પુત્રને મળાવવા માટે દિલ્હી જવાનું છે.
એમણે જણાવ્યું કે, દિલ્હીથી આવેલી ટીમમાં એક સબ ઇન્સપેક્ટર, એક મહિલા સબ ઇન્સપેક્ટર ઉપરાંત ચાર પોલીસ કર્મીઓ આવ્યા હતા અને બે ગાડીઓ એમને લઇને દિલ્હી રવાના થઇ.
છોકરીના પિતાએ જણાવ્યું કે, પોતાની પુત્રીને મળવા માટે, એમની પત્ની, પીડિતાનો ભાઇ અને નાની બહેન જઇ રહ્યા છે. બીજેપી નેતા ચિન્મયાનંદ (Chinmayanand) પર આરોપ લગાવનારી શાહજહાંપુરના એસ.એસ.લો કોલેજની ગાયબ વિદ્યાર્થીની રાજસ્થાનના જયપુરથી લગભગ 95 કિમી દુર ટોંકથી 6 દિવસ બાદ મળી હતી. જેને બાદમાં દિલ્હી લાવવામાં આવી.
પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદ વિરુદ્ધ યૌન ઉત્પીડનનો આરોપ લગાવનારી વિદ્યાર્થીની ગાયબ થવાના મામલા પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી થઇ હતી.