ચીને લાઈન ઓફ એક્ચ્યુ્લ કંટ્રોલમાં 4 057 કિલોમીટર સુધી ઘુસણખોરી કરી હતી. જો કે હવે ખબર આવી રહી છે કે પીપુલ્સ લિબુરેશન આર્મી (પીએલએ)ના જવાન પાછા પોતાની સરહદમાં ચાલ્યા ગયા છે. સૂત્રોએ જણાવ્યુ કે ચીની સૈનિકોએ સરહદ પર લગાવેલા પોતાના પાંચે ટેન્ટ હટાવી લીધા છે. માનવામાં આવે છે કે તેણે એવું એટલા માટે કર્યુ કે ચીની રક્ષામંત્રી ભારતના પ્રવાસે આવવાના છે. એવામાં તેમની સાથે બેઠકમાં આ મામલે વાત થઈ શકે છે. આ કારણે ચીની સૈનિક પાછા ચાલ્યા ગયા છે.
પૂર્વી લદ્દાખના ડેમચોક સેક્ટરમાં હંમેસા બંન્ને દેશો વચ્ચે અતિક્રમણને લઈ વિવાદ થતો રહે છે. જ્યાં એક તરફ ભારતનું કહેવું છે કે આ વિસ્તાર તેની સરહદમાં આવે છે જ્યારે ચીન તેને પોતાનું ક્ષેત્ર જણાવે છે. ચીનના સૈનિકોએ ચેરડોન્ગ-નેરલોન્ગ ક્ષેત્રમાં પાંચ લગાવ્યા હતા. જેમાંથી ત્રણને બંન્ને દેશો વચ્ચે થયેલી બ્રિગેડિયર સ્તરની ચર્ચા બાદ હટાવી લેવામાં આવ્યા છે. બે ટેન્ટ સરહદ પર લગાવેલા હતા જેમાં ચીનના સૈનિકો હાજર હતા. હવે ચીની સૈનિકોએ આ ટેન્ટને પણ હટાવી દીધું છે.
જણાવી દઈએ કે અથડામણને રોકવા માટે ભારતીય સૈનિકોએ બેનર ડ્રિલ કરી હતી. એટલે કે ઝંડા બતાવીને પોતાના ક્ષેત્રમાંથી પાછા ફરવા માટે કહ્યુ હતુ. જો કે ભારતીય સેનાનો પ્રયાસ વિફલ રહ્યો કેમકે સૈનિક તે સમયે પાછા નહોતા ગયા. હવે રક્ષામંત્રીના ભારત પ્રવાસના કારણે તેમને મજબૂરીથી પોતાની સરહદમાં પાછુ જવું પડ્યુ છે.