પૂર્વી લદ્દાખના ગલવાન ઘાટી પર થોડા દિવસ પહેલા થયેલી હિંસક અથડામણ બાદ અંતમાં ભારત અને ચીનના સૈનિકો પાછા હટી ગયા છે. આ અંગે સૂત્રો એ જાણકારી આપી છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ બંને દેશોની સેનાએ હિંસક ઝડપવાળી જગ્યાએથી 1.5 કિલોમીટર પાછળ હટી ગઇ છે. આ સંભવતઃ ગલવાન ઘાટી સુધી સીમિત છે. હવે આ વિસ્તારને બફર ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે, જેના કારણે આગળ કોઇ હિંસક ઘટના ન બને.
LAC પર એક કિમી સુધી પાછળ હટી ચીનની સેના
બંને દેશમાં વાતચીત બાદ બદલાયો માહોલ
ગલવાન ઘાટીમાં હિંસક ઝડપ બાદ બંને દેશોની સેનાઓ વચ્ચે સતત વાતચીત ચાલી રહી હતી. સૂત્રોને મળતી જાણકારી મુજબ ભારત અને ચીનના સૈનિકોએ રિલોકેશન પર સમજૂતિ જાહેર કરી છે, ત્યારબાદ બંને દેશની સેના જે જગ્યા પર હતી ત્યાંથી પાછળ ખસી ગઇ છે. આમ સેનાની પીછેહઠને આ પ્રક્રિયાને પહેલો પડાવ માનવામાં આવી રહ્યો છે.
સૂત્રોને જણાવ્યાં મુજબ 6 જૂનના રોજ કોર કમાંડરની બેઠકમાં સહમતિ બની હતી. ત્યાર બાદ 30 જૂન કોર કમાંડરની ત્રીજા સ્તરની બેઠકમાં ડિસએંગજમેંટની પુષ્ટિ માટે 72 કલાકનો વૉચ પીરિયડ નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે બંને સેનાઓની પીછેહઠની ખબર આવી રહી છે. જો કે હજુ સુધી ભારતીય સેના તરફથી આ અંગે સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે ગલવાન ઘાટીમાં LAC પર 15 જૂનના રોજ ચીનના સૈનિકોએ ભારતીય જવાનો પર હુમલો કર્યો હતો. જેમાં ભારતના 20 જવાન શહીદ થઇ ગયા હતા. ચીન તરફથી પણ 37થી વધારે સૈનિકો ઇજાગ્રસ્ત થયા હતા, પરંતુ ચીન દ્વારા સત્તાવાર રીતે પોતાના સૈનિકોની સંખ્યા બતાવી નહોતી.