લદ્દાખમાં તણાવ વધી રહ્યો છે. ચીનની અવળચંડાઈ અને વર્તનને જોતા ભારતીય સેનાએ LAC પર પોતાની તૈયારીઓ વધારી દીધી છે. પૂર્વ લદ્દાખમાં તોપોની તૈનાતી વધારી લીઘી છે. આ દરમિયાન ભારતીય સેનાએ ઉત્તર કમાનના ચીફ લેફ્ટિનેન્ટ જનરલ વાઈ કે જોશી દિલ્હી પહોંચી ગયા છે. સ્થિતિ બગડવાના સંકેત એ વાતથી મળી રહ્યા છે કે ચીની સેનાએ પેંગોગ લેક પાસે ફિંગર 4માં પોઈન્ટ પરથી પીછે હઠ કરવાથી ઈન્કાર કરી દીધો છે. બીજી તરફ LAC પર તણાવની વચ્ચે રાજનાથ સિંહ કાલથી લદ્દાખના પ્રવાસે છે.
LAC પર તણાવ લાંબો ચાલશે
ભારતીય સેના એલર્ટ
ચીની સેનાએ ફિંગર 4થી પીછે હઠ કરવાથી ઈન્કાર કરી દીધો
LAC પર તણાવ લાંબો ચાલશે
ચીની સેના પેંગોગ તથા ફિંગર 4 પરથી પીછેહઠ કરવા તૈયાર નથી. બન્ને દેશો વચ્ચે ચોથી કોર કમાન્ડર સ્તરની વાતચીત થઈ હતી. આ વાતચીત 14 કલાક ચાલી હતી. ગલવાન, હોટસ્પ્રિંગ અને ગાગરામાંથી સૈનિકોની પીછેહઠ માટે સમજૂતિ થઈ હતી. જોકે ચીન પીછેહઠ કરવા તૈયાર નથી.
ભારતીય સેના એલર્ટ
ભારતીય સેના સંપૂર્ણ રીતે તૈયાર છે. ચીનની હરકતોને ધ્યાનમાં રાખીને ભારતીય સેના પૂર્વ લદ્દાખમાં 60 હજાર સૈનિકોની તૈનાતી કરી દીધી છે. ભારતે ભીશ્મ ટેંક, અપાર્ટે યુદ્ધ હેલીકોપ્ટર, સુખોઈ ફાઈટર જેટ, શિનૂક અને રુદ્દ ફાઈટર હેલીકોપ્ટરને લાદી દેવામાં આવ્યા છે. પૂર્વ લદ્દાખમાં ભારતે તોપ પણ લાદ્યા છે.
રક્ષામંક્ષત્રી રાજનાથ સિંહ કાલે 2 દિવસના પ્રવાસે જમ્મુ- કાશ્મીર અને લદ્દાખ જશે. રક્ષામંત્રીની સાથે સેનાપ્રમુખ જનરલ એમએમ નરવણે પણ હશે. રક્ષામંત્રી LACના ફોરર્વર્ડ બ્લોકમાં સેનાની તૈયારીઓની સમીક્ષા કરશે. 2 અઠવાડિયાની અંદર પહેલા પ્રધાનમંત્રી મોદી અને હવે રાજનાથ સિંહ દ્વારા ચીનને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી રહી છે.