ચીનની આ નીતિ હજારો વર્ષ જૂની છે. ચીની સેનાના સૈન્ય રણનીતિકાર સુન જૂએ છઠ્ઠી સદીમાં જ કહ્યું હતું કે યુદ્ધ કુશળતા તેને કહેવાય જે હથિયાર વગર જ જીતી જવાય. અને ચીન પણ ત્યારે તે જ રીતે મનોવૈજ્ઞાનિક યુદ્ધમાં લાગેલું છે.
રણમેદાનમાં લાઉડસ્પીકરના માધ્યમથી પીએમ મોદીની ટિકા કરી રહ્યું છે ચીન
ચીની સેનાએ પોતાની હજારો વર્ષો જૂની રણનીતિ પર કામ ચાલુ કર્યું
પૂર્વી લદાખમાં હજારો ફૂટ ઊંચાઈ પર ચીનીઓને જડબાતોડ જવાબ આપવા માટે ભારત જાંબાઝ સૈનિકો તૈનાત છે અને આ સૈનિકોનો જુસ્સો તોડવા માટે ચીન હવે ગંદી ચાલ ચાલી રહ્યું છે. પોતાના સરકારી અખબારમાંથી પોકળ ધમકીઓ આપીને યુદ્ધ માટે લલકારે છે અને રણમેદાનમાં તે લાઉડસ્પીકરમાં માધ્યમથી ભારતીય સૈનિકોને વડાપ્રધાન મોદી વિરુદ્ધ ભડકાવી રહ્યું છે.
હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર 29-30 ઓગસ્ટે પેન્ગોગ ઝીલની પાસે દક્ષિણી તટ પર ભારતીય સેનાએ ચીનને જડબાતોડ જવાબ આપતાં ચીની સેના બખ્તરબંદ વાહનો અને ટેંક લઇને પહોંચી ગઈ હતી, ચીની સેનાને એમ લાગતું હતું કે આમ કરવાથી ભારતના સૈનિકો ડરી જશે. જોકે ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું કે જો ચીની સેના હદ પાર કરશે તો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
આમ ચીની સેનાને ભારતીય જવાનોએ કટિબદ્ધતાથી જવાબ આપ્યા બાદ ચીની સેનાએ જે હરકત કરી તેને જોઇને ભારતીય સેનાના કમાન્ડર પોતાનું હાસ્ય રોકી ન શક્યા. ચીની સેનાએ પેન્ગોગ લેકની પાસે ફિંગર ફોર પાસે પંજાબી ગીતો વગાડવાની શરૂઆત કરી દીધા. આ સિવાય પણ ચીની સેના મોલ્ડો પાસે મોટા મોટા લાઉડસ્પીકર લગાવી દીધા છે. આ સ્પીકર પર ચીની સેના તરફથી કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય સેના રાજનેતાના હાથે મૂર્ખ ન બને.
આટલી ઠંડીમાં ભારતીય સૈનિકોને આટલી ઊંચાઈ પર તૈનાત કરવામાં આવ્યા તે મુદ્દે ચીન હિન્દીમાં સવાલ ઉઠાવી રહ્યું છે. ચીનની રણનીતિ છે કે ભારતીય સૈનિકોનો જુસ્સો અને આત્મવિશ્વાસ ઓછો થઇ જાય. ચીનની રણનીતિ છે કે ભારતીય સૈનિકોની અંદર જ અસંતોષ પેદા કરવામાં આવે કે તે બધાને ક્યારેક ગરમ ખાવાનું આપવામાં આવતું નથી. નોંધનીય છે કે ભારતીય સેનાના જ એક પૂર્વ ચીફે કહ્યું હતું કે ચીની સેનાએ આ જ લાઉડસ્પીકર રણનીતિ 1962 અને 1967માં પણ વાપરી હતી. આટલું જ ચીનને એમ લાગે છે કે ફિંગર ફોર પર અત્યારે પંજાબી સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે.