ભારતીય નેવીના ચીફે સપ્ટેમ્બરમાં દેશના સમુદ્ર સીમામાં ઘુસી આવેલા ચીની જહાજને પાછુ મોકલ્યું હતું. ચીની પીપલ્સ લિબ્રેશન આર્મીનું આ જહાજ સપ્ટેમ્બરમાં આંદમાન નિકોબાર દ્વીપ સમૂહની પાસે ભારતના ઇકોનોમિક ઝોન સુધી ઘુસી આવ્યું હતું. નેવીએ મંગળવારે આ વાતની પુષ્ટી કરી.
ભારતીય નેવીએ સપ્ટેમ્બરમાં દેશના સમુદ્ર સીમામાં ઘુસી આવેલા ચીની જહાજને પાછુ મોકલ્યું
ચીની જહાજ ભારતના ઇકોનોમિક ઝોન સુધી ઘુસી આવ્યું હતું
ભારતીય નેવી ચીફે સતત નેવીના બજેટમાં ઘટાડા પર ચિંતા દર્શાવી
નેવી ચીફ એડમિરલ કરમબીરસિંહે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ચીનના જહાજ શી યાન 1ને વિના મંજુરીએ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશના કારણે પાછુ મોકલવામાં આવ્યું હતું. ઇન્ડિયન નેવીની એન્ટી પાયરેસી મિશનની સફળતા વિશે તેઓએ કહ્યું કે આ મિશનમાં 120 સમુદ્રી લુટેરાઓે પકડવામાં આવ્યા. અને પાઇરેસીના 44 કેસ સામે આવ્યા.
ચીનના જહાજને અમે પાછુ મોકલ્યું
ચીનના જહાજ શી યાન 1ને ભારત દ્વારા પાછુ મોકલવાના સવાલનો પણ નેવી ચીફે જવાબ આપ્યો. તેઓએ કહ્યું, શી યાન 1ને વિના મંજુરીએ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશના કારણે પાછુ મોકલવામાં આવ્યું હતું. અમારું વલણ આ મુદ્દે સ્પષ્ટ છે કે જો કોઇ પણ દેશનું જહાજ અમારા અધિકાર ક્ષેત્રવાળા ઇકોનોમિક ઝોનમાં આવે છે, તો તેણે પહેલા મંજુરી લેવી પડશે.
Navy Chief Admiral Karambir Singh to ANI on being asked why Chinese vessel Shi Yan 1 was asked to leave Indian waters: Our stand is that if you have to work in our Exclusive Economic Zone, then you have to take our permission. https://t.co/WfohMJqC0L
ભારતીય નેવી ચીફે સતત નેવીના બજેટમાં ઘટાડા પર ચિંતા દર્શાવી. તેઓએ કહ્યું કે ગત કેટલાક વર્ષોમાં ડિફેન્સ બજેટમાં નેવીનો ભાગ સતત ઓછો થયો છે. 2012માં આ 18 ટકા હતો. જે 2018માં ઓછો થઇને માત્ર 12 ટકા રહી ગયો છે. તેઓએ કહ્યું કે હિન્દ મહાસાગરમાં ચીન પોતાની હાજરી સતત વધારી રહ્યું છે. ભારતીય નેવી આવા તમામ પગલા પર નજર રાખી રહ્યું છે.
પાક. અને ચીન પર છે ભારતની નજર
નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહે કહ્યું, ચીન અને પાકિસ્તાનનો ઉત્તરી અરબ સાગરમાં નેવીનો સંયુક્ત સૈન્ય અભ્યાસ પ્રસ્તાવિત છે. અમે તેના પર નજર રાખી રહ્યા છીએ. આ સંયુક્ત સૈન્ય અભ્યાસ માટે તેઓએ ભારતની સીમામાં આવતા હિન્દ મહાસાગરથી થઇને પસાર થવુ પડશે.