ચીનના વૈજ્ઞાનિકોનું માનવું છે કે, કોરોના વાયરસ ક્યારેય જડમૂળથી નાશ નહીં પામે. વૈજ્ઞાનિકોના આ દાવાથી દુનિયાભરમાંથી આવતા સમાચારોને સમર્થન મળ્યું છે કે, ફ્લૂ ફેલાવવાની સિઝનમાં કોરોના ફરી દસ્તક દઇ શકે છે. ચીનના વાયરલ અને મેડિકલ સંશોધકોના એક સમૂહનું કહેવું છે કે, આ નવો વાયરસ 17 વર્ષ પહેલા આવેલા સાર્સની જેમ નથી જે નાશ પામે.
સમગ્ર વિશ્વ કોરોનાના ભરડામાં
ચાઇનાના સંશોધકોએ વધારી સૌની ચિંતા
કોરોના બની જશે સિઝનલ ફ્લૂ, ક્યારેય નહીં થાય ખતમ
સંશોધકોનું કહેવું છે કે, લક્ષણ વગરના લોકોને કોરોનાનો ભય વધી રહ્યો છે. આ એસિમ્પ્ટોમેટિક લોકો વાયરસના ફેલાવાને અટકાવી રહ્યા છે કારણ કે, તેઓ પોતે જ લક્ષણ વગર તેનો ફેલાવો કરે છે. જ્યારે સાર્સ બીમારી સમયે આવું નહોંતું. સાર્સથી સંક્રમિત થનાર લોકો ગંભીર રીતે બીમાર થઇ જતાં અને એકવાર ક્વોરેન્ટાઇન થયાં બાદ સોર્સ ફેલાતો અટકી જતો હતો.
ચીનમાં કેટલાય લોકોને કોરોનાના લક્ષણ નથી છતાં છે પોઝિટિવ
કોરોના વાયરસ મહામારીને કાબૂ મેળવ્યો હોવા છતાં ચીનમાં દરરોજ લક્ષણ વગરના કેટલાક મામલાઓ સામે આવ્યા છે. Chinese Academy of Medical Sciences ના પૈથોજન બાયોલોજીના ડાયરેક્ટર જીન ક્યૂઇએ કહ્યું કે, આ એક એવી મહામરી બની શકે છે જે માણસોની સાથે લાંબો સમય સુધી રહેશે. સિઝન પ્રમાણે તે બદલાતી રહેશે.
અટકી પડી છે અર્થવ્યવસ્થા
વિશ્વભરના ઉચ્ચ સંશોધકો અને સરકારોમાં સામાન્ય સહમતી બની રહી છે કે લોકડાઉન હોવા છતાં, વાયરસ નાબૂદ થવાની સંભાવના નથી. લોકડાઉનને કારણે સમગ્ર વિશ્વની અર્થવ્યવસ્થા અટકી ગઈ છે.
અમેરિકાના ડોક્ટરે પણ કર્યો હતો દાવો
અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી અને ચેપી રોગોના ડિરેક્ટર એન્થોની ફાઉચીએ ગયા મહિને કહ્યું હતું કે કોવિડ -19 મોસમી રોગ બની શકે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે દક્ષિણ ગોળાર્ધના દેશોમાં હવે કોરોનાના કિસ્સા વધી રહ્યા છે કારણ કે શિયાળાની મોસમ ત્યાં આવી ગઈ છે.
ગરમીમાં પડી શકે છે નબળો
પેકિંગ યુનિવર્સિટી ફર્સ્ટ હોસ્પિટલના ચેપી રોગો વિભાગના વડા વાંગ ગુઇકિયાંગે જણાવ્યું હતું કે, 'આ વાયરસ ઉનાળામાં નબળો પડી શકે છે, પરંતુ જ્યારે તે 30 મિનિટ સુધી 56 ડિગ્રી સેલ્સિયસમાં તે એક્સપોઝ થાય પરંતુ મોસમ ક્યારેય આટલું ગરમ રહેશે નહીં. '