ચીનના સરકારી માલિકીના અખબાર ગ્લોબલ ટાઈમ્સે ભારતને એક મોટી ધમકી આપતા એવું જણાવ્યું કે જો યુદ્ધ થશે તો નવી દિલ્હીનો પરાજય થશે.
સરહદીય વિવાદ પર ચીને ભારતને આપી મોટી ધમકી
ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સે તેના લેખમાં જણાવ્યું
યુદ્ધ થશે તો નવી દિલ્હીનો પરાજય થશે
ભારતની રીતે સરહદીય વિવાદનો ઉકેલ મંજૂર નહીં-ચીન
યુદ્ધ થશે તો ભારતનો પરાજય નિશ્ચિત-ગ્લોબલ ટાઈમ્સ
ગ્લોબલ ટાઈમ્સમાં પ્રસિદ્ધ એક સંપાદકીય લેખમાં કહેવાયું કે નવી દિલ્હીએ એક વાત સ્પસ્ટ રીતે સમજી લેવી જોઈએ કે જે રીતે તે સરહદ પર કબજો જમાવવા માગે છે તે રીતે તેને સરહદ નહીં મળે. જો યુદ્ધ થશે તો નિશ્ચિત રીતે ભારતનો પરાજય થશે. ચીન અને ભારતની વચ્ચે સરહદ વિવાદ હજુ પણ ચાલુ છે. તેનું મૂળ કારણ ભારતીય પક્ષ વતી મંત્રણામાં યોગ્ય વલણનો અભાવ છે. વાસ્તવિક સ્થિતિની તદ્દન વિપરીત રીતે ભારતની માગ અવ્યવહારિક છે.
#环球时报Editorial: New Delhi needs to be clear about one thing: it will not get the border the way it wants. If it starts a war, it will definitely lose. Any political maneuvering and pressure will be ignored by China.https://t.co/TwOPT0Rpzqpic.twitter.com/wFuW30a14K
ગ્લોબલ ટાઇમ્સે વાતચીતમાં ભારતીય વલણને "તકવાદી" ગણાવ્યું છે. બંને દેશો વચ્ચે 13મો રાઉન્ડની વાતચીત રવિવારે પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર ચુશુલ-મોલ્ડોવા સરહદી વિસ્તારની ચીનની બાજુએ યોજાઈ હતી.