ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ શુક્રવારે બે દિવસની ભારતની મુલાકાતે આવશે. નરેન્દ્ર મોદીના બીજી વખત પ્રધાનમંત્રી બન્યા બાદ ચીનના રાષ્ટ્રપતિનો આ પ્રથમ ભારત પ્રવાસ હશે. જો કે બે દિવસના પ્રવાસ દરમિયાન ભારત-ચીન વચ્ચે કોઇ મોટી સમજૂતિ થવાની સંભાવના નથી. જેનું મુખ્ય કારણ આ પ્રવાસ અનૌપચારિક મુલાકાત છે જેમાં કોઇ નિશ્ચિત એજન્ડા પર વાત થશે નહીં.
11 ઓક્ટોબરે શી જિનપિંગ આવશે ભારત
ચેન્નાઇમાં પીએમ મોદી સાથે કરશે મુલાકાત
વુહાન તરફથી અનૌપચારિક સમિટનું આયોજન
શિખર મંત્રણા ચેન્નઇ નજીક મલ્લાપુરમાં યોજાશે
બંને નેતાઓ વચ્ચેની આ શિખર મંત્રણા ચેન્નઇ નજીક પ્રાચીન તટીય શહેર મલ્લાપુરમમાં યોજાશે. વિદેશ મંત્રાલયેે જણાવ્યું હતું કે શિખર મંત્રણા દરમિયાન બંને દેશો ભારત-ચીન વિકાસ ભાગીદારીને વધુ સુદૃઢ બનાવવા માટે વિચાર-વિમર્શ કરશે.
રાષ્ટ્રપતિની જિનપિંગની મુલાકાત પહેલા કાશ્મીર મુદ્દે આપ્યું આ નિવેદન
અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગ વચ્ચે આ અનૌપચારિક શિખર મંત્રણા પૂૂર્વે ચીને ભારત સાથેના સરહદી વિવાદ ઉપરાંત કાશ્મીર મુદ્દે પોતાનું વલણ બદલી નાખ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયે જમ્મુ-કાશ્મીરની સમસ્યાને ભારત અને પાકિસ્તાન વચ્ચેની આંતરિક બાબત હોવાનું જણાવ્યું છે અને દ્વિપક્ષીય રીતે આ મામલો ઉકેલવા પાકિસ્તાનને સલાહ આપી છે.
ચેન્નાઇમાં પીએમ મોદી સાથે મુલાકાત થશે
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને નેતાઓ શિખર મંત્રણામાં દ્વિપક્ષીય, પ્રાદેશિક અને વૈશ્વિક મહત્ત્વ ધરાવતા વ્યાપક મુદ્દાઓ પર ચર્ચા-વિચારણા કરવામાં આવે તેવી શક્યતા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ પર પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના પ્રમુખ શી જિનપિંગ આ અનૌપચારિક શિખર મંત્રણા માટે ૧૧-૧ર ઓક્ટોબરના રોજ ચેન્નઇમાં રહેશે.
ભારત-ચીન વચ્ચે બીજી વખતે થશે આ સમિટ
ભારત અને ચીન વચ્ચે આ પ્રકારની સમિટ બીજી વખત થવા જઇ રહી છે. જેમાં બંને દેશના પ્રમુખ કોઇપણ એજન્ડા નક્કી કર્યા વગર મળી રહ્યાં છે. આ અગાઉ 27-28 એપ્રિલ 2018ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીનના વુહાન રાજ્ય પહોંચ્યા હતા. ત્યારે પણ બંને નેતાઓ વચ્ચે કોઇ નિશ્ચિત એજન્ડા પર વાતચીત થઇ નહોતી. તે સમયે ભારત-ચીન વચ્ચે ડોકલામ વિવાદ ચાલી રહ્યો હતો.
Sources: Chinese President Xi Jinping will be accompanied by China's Foreign Minister and Politburo members, on his visit to India. https://t.co/Kh08VXny3b