કોરોનાના 2 વર્ષ બાદ દેશમાં દરેક તહેવારોની ઉજવણી માટે સરકારે પરમિશન આપી છે અને હાલ તહેવારોની સીઝન ચાલી રહી છે ત્યારે લોકો ઉત્સાહભેર તહેવારની ઉજવણી કરી રહ્યા છે. તેવામાં કોરોનાકાળ પછી હવે લોકોને ચાઈનીઝ માલ પર ભરોસો નથી. ગુજરાતનાં બજારોમાંથી ચાઈનીઝ વસ્તુઓ જાણે કોરોનાની જેમ ગાયબ થઈ ગઈ છે. નાગરિકો અને વેપારીઓ સહિત કોઈને પણ ચાઈનીઝ માલ મંગાવવા અને ખરીદવામાં જાણે હવે રસ નથી. એટલે જ ગુજરાતમાં ચાઈનીઝ વસ્તુઓની આયાત લગભગ બંધ જ થઈ ગઈ છે. મોટાભાગના વેપારીઓએ ચીનમાંથી વસ્તુ મંગાવવાનું બંધ કરી દીધું છે.
અમદાવાદમાં ચાઈનીઝ પ્રોડક્ટનો કરોડો રૂપિયાનો વેપાર બંધ થયો
પ્રધાનમંત્રી મોદીના લોકલ ફોર વોકલ સૂત્ર દેશભરમાં કામ કરી રહ્યું છે. તેના કારણે આ વખતે તહેવારોમાં ચાઈનીઝ ચમક ઓછી થઇ છે. બજારોમાં ચાઈનીઝ કંપનીઓ કરતા સ્વદેશી કંપનીઓની વસ્તુઓની માગ વધી છે. અમદાવાદના બજારોમાં ચાઈનીઝ પ્રોડક્ટનો કરોડો રૂપિયાનો વેપાર થતો હતો. જે હવે બંધ થયો છે. કોમર્સ મિનિસ્ટ્રીના આંકડા મુજબ ગયા વર્ષે ભારતે ચીનમાંથી કરોડો રૂપિયાની વસ્તુ આયાત કરી હતી. પણ આ વર્ષે આયાત બંધ થતા રમકડાં અને ફટાકડાં જેવી વસ્તુઓની માગ ઘટી છે.
લોકો પણ સ્વદેશી વસ્તુઓની ડિમાન્ડ કરી રહ્યા છે
લગભગ 500 કરોડનો વર્ષે ઓર્ડર ચાઈનીઝ પ્રોડક્ટ માટે થતો હતો જે હવે થતો નથી. લોકો પણ સ્વદેશી વસ્તુઓની ડિમાન્ડ કરી રહ્યા છે જેના કારણે હવે ચાઈનીઝ વસ્તુઓની માગ ઘટી છે. કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (કેટ)ના આંકડા મુજબ ગણેશ ઉત્સવ પહેલા ચીનમાંથી અંદાજે 500 કરોડ રૂપિયની મૂર્તિઓ અને રાસગારની વસ્તુઓ આવતી હતી. આ વર્ષે આવુ નથી થયું. કેટનું કહેવું છે કે આ વર્ષે મોટાભાગની મૂર્તિ માટી અથવા છાણની બનાવવામાં આવી છે. મૂર્તિ જે પહેલા રમકડાં-ફટાકડાંની આયાત ઓછી થઈ હતી. કોમર્સ મિનિસ્ટ્રીના આંકડા મુજબ ગયા વર્ષે ભારત ચીનમાંથી 87 અબજ ડોલર એટલે કે લગભગ 6.9 લાખ કરોડ રૂપિયાની વસ્તુ આયાત કરી હતી. તેમાથી 62 ટકા એટલે કે 54 અબજ ડોલરની આયાત ઈલેક્ટ્રોનિક જેવી ટોપ-10 હાઈ વેલ્યૂ પ્રોડક્ટ હતી. તેનો અર્થ એ છે કે હવે રમકડાં અને ફટાકડાં જેવી લો વેલ્યૂ પ્રોડક્ટ્સની આયાત ઘટી છે.