ચીનનાં વિદેશમંત્રી વાંગ યી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલને મળવા માટે આજે દિલ્હીના સાઉથ બ્લોક પહોંચ્યા હતાં. જ્યાં તેઓએ અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પૂર્વી લદ્દાખમાં છેલ્લાં બે વર્ષથી ચાલી રહેલ મડાગાંઠ વચ્ચે ચીનના વિદેશ મંત્રી વાંગ યી ગુરુવારે અઘોષિત મુલાકાતે ભારત આવ્યા હતાં. મળતી માહિતી અનુસાર, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર આજે બપોરે 2.30 વાગ્યે એક ખાસ પ્રેસ કોન્ફરન્સ કરશે.
Delhi | Chinese Foreign Minister Wang Yi meets External Affairs Minister S Jaishankar for delegation-level talks. pic.twitter.com/ZjCFlwQpVo
તમને જણાવી દઈએ કે, મે 2020માં ગલવાન ઘાટીમાં અથડામણ બાદ બંને દેશો વચ્ચે તણાવ ઘણો વધી ગયો હતો. દરમિયાન ચીનના વિદેશ મંત્રીની આ મુલાકાતને મહત્વની માનવામાં આવી રહી છે. ચીની પક્ષે વડાપ્રધાન મોદી સાથેની મુલાકાતનો પણ સમય માંગ્યો છે. જો કે પીએમ મોદીને મળવાની શક્યતા ઓછી છે. વાંગ યીની આ ભારત મુલાકાત એવાં સમયે થઈ કે જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયે જમ્મુ-કાશ્મીર મુદ્દે તેમના એક નિવેદન પર આકરી પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર સંબંધિત મુદ્દો સંપૂર્ણપણે ભારતનો આંતરિક મામલો છે અને ચીન સહિત અન્ય દેશોને તેના પર નિવેદન કરીને દખલગીરી કરવાનો કોઈ અધિકાર નથી.
ચીનના વિદેશ મંત્રી અજીત ડોભાલ સાથે મુલાકાત કરીને નીકળી ગયા
Delhi | Chinese Foreign Minister Wang Yi leaves from NSA Ajit Doval's office in South Block. pic.twitter.com/HA7FryoT0f
આ મુલાકાત એટલાં માટે મહત્વપૂર્ણ મનાય છે કે, કારણ કે લદ્દાખ સરહદ વિવાદ અને ગલવાન સંઘર્ષને લઈને ભારત અને ચીન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ગયા વર્ષે આ વિવાદે ગંભીર સ્થિતિ ધારણ કરી લીધી હતી અને બંને દેશોએ સરહદ પર મોટી સંખ્યામાં સૈનિકો તૈનાત કરી દીધા હતાં. આ અંગે બંને પક્ષો વચ્ચે કમાન્ડર સ્તરની વાતચીત પણ થઈ રહી છે, પરંતુ હજુ સુધી સૈનિકો પરત ખેંચવાનો મુદ્દો ઉકેલાયો નથી. એ સંદર્ભે અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ મંત્રણા થઈ ચૂકી છે, પરંતુ કોઈ નક્કર પરિણામ સામે આવ્યું નથી.
#WATCH | Chinese Foreign Minister Wang Yi meets External Affairs Minister S Jaishankar for delegation-level talks in Delhi pic.twitter.com/Xv3MoFhFWE
સરહદ વિવાદના ઉકેલ માટે અત્યાર સુધીમાં 15 રાઉન્ડની વાતચીત થઈ ચૂકી
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદી તણાવને ઉકેલવા માટે લશ્કરી કમાન્ડર સ્તરે અત્યાર સુધીમાં 15 રાઉન્ડની વાતચીત થઈ છે, પરંતુ પૂર્વ લદ્દાખના ડેપસાંગ સહિત અન્ય વિસ્તારોમાં તણાવ ઘટાડવા, મુદ્દાને ઉકેલવા તેમજ લશ્કરી એકત્રીકરણ ઘટાડવાની કોઈ ફોર્મ્યુલા નથી. 12મી માર્ચે, બંને દેશો વચ્ચે ચુશુલ-મોલડો બોર્ડર પોઈન્ટ પર 15માં રાઉન્ડની વાતચીત થઇ હતી.