કાશ્મીર પર નિવેદન આપ્યા બાદ ચીનના વિદેશ મંત્રી વાંગ યી ગુરૂવારે મોડી સાંજે દિલ્હી પહોંચ્યા છે. ઓઆઈસીની બેઠકમાં ચીને આપત્તિજનક નિવેદન આપ્યું હતું.
ચીનના વિદેશ મંત્રી વાંગ યી દિલ્હી પહોંચ્યા
ઓઆઈસીની બેઠકમાં કાશ્મીરનો મુદ્દો ઉઠ્યો હતો
આ બેઠકમાં ચીને પણ કાશ્મીર અંગે આપ્યું હતું નિવેદન
દિલ્હી પહોંચ્યા બાદ ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારતના કેટલાક મંત્રીઓ સાથે મુલાકાત કરશે. ન્યૂઝ એજન્સી ANIના અનુસાર, વાંગ યી શુક્રવાર(25 માર્ચ)એ વિદેશ મંત્રી એસ. જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે મુલાકાત કરશે. ચીનના વિદેશ મંત્રીનો ભારત પ્રવાસ એવા સમયે થઇ રહ્યો છે જ્યારે તેમના કાશ્મીર વાળા નિવેદન પર હોબાળો મચેલો છે.
ગત દિવસોમાં ઇસ્લામિક દેશોના સંગઠન ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કોઑપરેશન(OIC)ની બેઠક થઇ હતી. ઓઆઈસીની બેઠકમાં પાકિસ્તાને જોર શોરથી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. બેઠકમાં સામેલ ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કાશ્મીર મુદ્દે કહ્યું હતું કે, કાશ્મીર પર અમે આજે ફરીથી કેટલાક ઇસ્લામિક મિત્રોની વાત સાંભળી. આ મુદ્દે ચીનને પણ એ આશા છે.
ભારતે ખેદ વ્યક્ત કર્યો હતો
કાશ્મીર પર ચીનના વિદેશ મંત્રીના આ નિવેદન બાદ ભારતે વાંધો ઉઠાવ્યો હતો. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું હતું કે, ઓઆઈસીના ઉદ્ઘાટન સમારોહમાં પોતાના ભાષણદરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારતને લઇને જે સંદર્ભ આપ્યો, તે બીનજરૂરી હતો અને અમે તેને નકારીએ છીએ. બાગચીએ કહ્યું કે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરનો મામલો સમગ્ર રીતે ભારતનો અંગત મામલો છે. ચીન સહિત અન્ય દેશોને આના પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. તેમણે ધ્યાન આપવું જોઈએ કે ભારત પણ તે દેશોના અંગત મામલાઓ પર જાહેર નિવેદન આપવા પર ધ્યાન રાખે છે.