ભારતમાં ચીનના જાસૂસી કાંડની તપાસમાં મહત્વનો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યાનુંસાર પ્રધાનમંત્રી કાર્યાલય ઉપરાંત દલાઈ લામા અને ભારતમાં લગાવવામાં આવેલા સુરક્ષા ઉપકરણો પણ ચીની જાસૂસીના નિશાના પર હતા. પકડાયેલા ચીની જાસૂસી નેટવર્ક સાથે થયેલી પુછપરછમાં સામે આવ્યું કે ભારતીય મંત્રાલયમાં કામ કરનાર ઉચ્ચ કર્મચારીઓ અને બ્યૂકોક્રેટ્સ જાણકારી ફંફોળી રહ્યા છે.
ભારતીય પત્રકાર રાજીવ શર્માની ધરપકડ કરી હતી
નેટવર્કમાં મહાબોધી મંદિરના એક પ્રમુખ બૌદ્ધ ભિક્ષુ
કોલકત્તાની એક પ્રભાવશાળી મહિલાની સંડોવણી હોવાની વાત
ચીની જાસૂસ કિંગ શી સાથેની પુછપરછમાં જાણવા મળ્યું છે કે ચીનને ભારતમાં પોતાની જાસૂસી ટીમને પીએમ સહિત મોટી ઓફિસોમાં અંદરની જાણકારી આપવા માટે કહ્યું હતુ. જેમ કે ઓફિસમાં કયો વ્યક્તિ મહત્વનો છે, કઈ પોસ્ટ પર છે અને કેટલો પ્રભાવશાળી છે.
તપાસમાં આ જાસૂસી નેટવર્કમાં મહાબોધી મંદિરના એક પ્રમુખ બૌદ્ધ ભિક્ષુ અને કોલકત્તાની એક પ્રભાવશાળી મહિલાની સંડોવણી હોવાની વાત સામે આવી છે. મનાઈ રહ્યું છે કે કિંગ શી સાથે આ મહિલાની મુલાકાત કરાવાઈ હતી. જેથી તે મહત્વના દસ્તાવેજો સોંપી શકે અને કિંગ શી તેને ટ્રાન્સલેટ કરીને ચીન મોકલતી હતી.
આ પ્રકરણમાં એજન્સીઓને કેટલાક દસ્તાવેજો મળ્યા છે. જે મુજબ પીએમઓમાં રહેલા અધિકારીઓ સહિત દલાઈ લામાની દરેક ગતિવિધિઓની જાણકારી મેળવવામાં આવી રહી હતી. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે છેલ્લા મહિને કિંગ શી સાથે તેના નેપાળી સાથી શેર બહાદુર અને ભારતીય પત્રકાર રાજીવ શર્માની ધરપકડ કરી હતી. આ ત્રણેય હાલ તિહાર જેલમાં છે.
કિંગને મહિને 1 લાખ રુપિયા આપવામાં આવતા હતા. તે દિલ્હીમાં રહેતી ત્યારે તપાસ ચાલી રહી છે કે 50 હજાર ઘરનું ભાડુ કોણ ભરતું હતુ.
ઓગસ્ટમાં સામે આવેલા ચીની જાસૂસી પ્રકરણમાં પીએમ સહિત દેશના તમામ મોટા ઉદ્યોગપતિઓ, અધિકારીઓ સહિત દલાઈ લામા જાસૂસીનો પર્દાફાર્શ થયો હતો. એટલું જ નહીં ક શરણાર્થીઓ પર નજર રાખવા પેંગની દલાઈ લામાની કોર ટીમમાં ઘૂસવાની વાત ચર્ચાઈ રહી છે. સર્વેલન્સથી બચવા પેંગે વી ચેટ જેવી ચીની એપનો ઉપયોગ કર્યો હતો.