પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીન સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતના ઓછામાં ઓછા 20 જવાન શહીદ થયા છે. જ્યારે આ અથડામણમાં ચીનને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. જેમાં ચીનના પણ 43 સૈનિકો ઇજાગ્રસ્ત થયા છે. આ વચ્ચે આજે સવારે LACની બીજી તરફ ચીનના હેલિકોપ્ટર જોવા મળ્યાં છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ આ હેલિકોપ્ટરમાં મૃત અને ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરવામાં આવી રહ્યાં છે.
LAC પર હિંસક અથડામણમાં ભારતના 20 જવાન શહિદ
ભારતીય સૈનિકોએ ચીનને આપ્યો જડબાતોડ જવાબ
પ્રાપ્ત મળતી વિગત અનુસાર સોમવાર રાતે બંને દેશોની સેના વચ્ચે હિંસક ઝડપ થઇ હતી. સોમવાર રાતે ગલવાન ઘાટીની પાસે બંને દેશો વચ્ચે ચાલી રહેલી વાતચીત પછી બધુ સામાન્ય લાગી રહ્યું હતું, ત્યારે જ ચીનના સૈનિકોએ વિશ્વાસઘાત કરી ભારતીય જવાનો પર હુમલો કરી દીધો.
આ અંગેની સંપૂર્ણ ઘટના અંગે જાણકારી આફતા ભારતીય સેનાએ કહ્યું કે 15 જૂનની રાતથી ગલવાન ઘાટી વિસ્તારમાં હિંસક ઝડપ (અથડામણ) જોવા મળી હતી, જેમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા.
જો કે આ અથડામણ બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે. ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારત હંમેશાથી LAC નું સન્માન કર્યું છે અને ચીને પણ એમ જ કરવું જોઇએ. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે LAC પર સોમવારે રાતે જે થયું તેનાથી બચી શકાત. બંને દેશો વચ્ચે સૈનિકોની થયેલી અથડામણમાં બંને દેશોએ નુકસાન ઉઠાવુ પડી રહ્યું છે.