પાકિસ્તાન અધિકૃત કશ્મીર (POK)માં ચીન દ્વારા બનાવામાં આવેલા એક મોટો પુલ તૂટીને પાણીમાં તણાઈ ગયો હતો.
ચીન દ્વારા POKમાં બનાવેલા પુલ પાણીમાં તણાઈ
ચીન અને પાકિસ્તાની સંપર્ક તૂટશે
પુલની બંને સાઈડ હજારો પ્રવાસીઓ ફસાયા
પાકિસ્તાન અધિકૃત કશ્મીર (POK)માં ચીન દ્વારા બનાવામાં આવેલા એક મોટો પુલ તૂટીને પાણીમાં તણાઈ ગયો હતો. આ દુર્ઘટનાની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તેમાં એ પણ જાણવા મળ્યું છે કે, જળવાયુ પરિવર્તન કેટલો મોટો ખતરો છે. કારણ કે, આ ઘટના પાછળ ગ્લેશિયર ફાટવાનું કારણ બતાવામાં આવ્યું છે. ગ્લેશિયરના પાણીથી આવેલા પુરના કારણે જે પુલ તણાઈ ગયો તે, ચીન અને પાકિસ્તાનને જોડનારો મુખ્ય છે અને ચીન પાકિસ્તાનની ઈકોનોમિક કોરિડોરનો જ ભાગ છે, જેના પર ચીન બહું ખર્ચો કરી ચુક્યું છું.
A few days ago @ClimateChangePK had warned that Pakistan’s vulnerability is high due to high temps. Hassanabad bridge on the KKH collapsed due to GLOF from the melting Shisper glacier which caused erosion under pillars. Am told FWO will have a temporary bridge up in 48 hours. 1/2 pic.twitter.com/Sjl9QIMI0G
ગ્લેશિયર ફાટવાના કારણે પાકિસ્તાન અધિકૃત કશ્મીરમાં પાકિસ્તાન અને ચીનને જોડનારો મુખ્ય પુલ તણાઈ ગયો હતો. આ પુલ પીઓકેને ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તારમાં કારાકોરમ હાઈવે પર બન્યો હતો અને જોત જોતામાં પાણીમાં તણાઈ ગયો હતો. સૌથી મોટી વાત એ છે કે, આ પુલ ચીને જ પાકિસ્તાન અધિકૃતમાં બનાવ્યો હતો. શિશ્પર ગ્લેશિયર ફાટવાના કારણે આ દુર્ઘટના થઈ છે, જેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ દુર્ઘટનાના કારણે પુલની બંને સાઈડ હજારો ટુરિસ્ટ ફસાઈ ગયા હતા. વીડિયોમાં અવાજ આવી રહ્યો કે, લોકો ત્યાંથી ભાગવાની વાતો કરી રહ્યા છે.
ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તારની છે આ ઘટના
પીઓકેમાં ચીન દ્વારા બનાવામાં આવેલા હસનાબાદ પુલ તણાઈ ગયો હતો, તે ચીન પાકિસ્તાનના ઈકોનોમિક કોરિડોરનો ભાગ છે. આ ઘટના ગિલગિટ બાલ્ટિસ્તાના હુંઆ તાલુકાનો છે. વીડિયો ફુટેજમાં દેખાઈ રહ્યું છે કે, કેવી રીતે પુલ પાણીના વહેણમાં તણાઈ જાય છે અને જોત જોતામાં પુલ વેરવિખેર થઈ જાય છે. અહીં ઉલ્લેખની ય છે કે, ગ્લેશિયર ફાટવાની ઘટના શનિવારની છે. પુલ વહી જતો આ વીડિયો પાકિસ્તાનની નવી જળવાયુ અને પર્યાયવરણ મંત્રી શેરી રહમાને પણ શેર કર્યો છે અને લખ્યું છે કે, પાકિસ્તાન જળવાયુ અને હવામાન વિભાગે વધારે તાપમાનના કારણે પાકિસ્તાનના ખતરાને લઈને સતર્ક કર્યા છે. કારાકોરમ હાઈવે પર હસનાબાદ પુલ એક ગ્લેશિયર લેકના કારણે ધ્વસ્ત થયો હતો. શિશ્પર ગ્લેશિયર પીઘડવાના કારણે પુર આવ્યું, જેના કારણે પુલના થાંભલામાં કાટ લાગ્યો અને પુલ તૂટીને વહી ગયો.
પીઓકેમાં 33 હિમનદી સરોવર ગમે ત્યારે ફાટી શકે છે- પાકિસ્તાન
પાકિસ્તાનની એજન્સીઓેના જણાવ્યા અનુસાર ગ્લોબલ વોર્મિંગના કારણે ગ્લેશિયર ઝડપથી પિઘળી રહ્યો છે. તેમનું કહેવુ છે કે, ગિલગિલટ બાલ્ટિસ્તાન અને ખૈબર પખ્તૂનખા વિસ્તારમાં જ ગ્લેશિયર પિઘળવાથી 3000 થી વધારે હિમનદી ઝીલ બની ચુક્યા છે. જેમાંથી 33 ગમે ક્યારે ફાટી શકે છે. આ પ્રકારનું એક ટ્વીટ કરતા રહમાને પણ ચિંતા વ્યક્ત કરી હતી અને તેમને વૈશ્વિક નેતાઓને ઉત્સર્જન ઓછુ કરવા જણાવ્યું હતું. જ્યાં સુધી શિશ્પર હિમનદની વાત કરીએ તો, તેના કારણે ગમે ત્યાર હસનાબાદ વિસ્તારના લોકોના જીવન પર સંકટ આવી શકે છે. લગભગ ચાર વર્ષ પહેલા રિપોર્ટ આવ્યો હતો કે, દરરોજ લગભગ ચાર મીટર ગ્લેશિયર નીચે સરકી રહ્યો છે. કુલ મળઈને હાલમાં જે દુર્ઘટના થઈ છે, તેના જેવો જ ખતરો હજૂ પણ મંડરાઈ રહ્યો છે.
પાકિસ્તાનના ગેરકાયદેસર કબ્જાવાળો વિસ્તાર
આપને જણાવી દઈએ કે, ગિલગિટ બાલ્ટિસ્તાન પૂર્વના જમ્મુ અને કાશ્મીર રજવાડાનો ભાગ હતો, જે 1947માં પાકિસ્તાનને તેના પર ગેરકાયદેસર કબ્જો કર્યો.ચીનના બેલ્ડ એન્ડ રોડ ઈનિશિએટિવ અંતર્ગત ચીને પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર પણ આ વિસ્તારમાં થઈને પસાર થાય છે. અહીં અશાંત ક્ષેત્ર બલૂચિસ્તાનથી શરૂ થઈને ગિલગિટ બાલ્ટિસ્તાન થતા ચીનના શીઝીઆંગ વિસ્તારના કાશગર સુધી જાય છે.