કેન્દ્રની મોદી સરકારે ચીની મોબાઈલ એપ્સ કંપનીઓની તરફથી સ્પષ્ટીકરણને યોગ્ય માન્યું નથી. આ કારણે હવેથી ટિકટોક સહિતની કુલ 59 એપ્સને ભારત માટે કાયમી ધોરણે પ્રતિબંધિત કરાઈ છે.
હવે ટિકટોકની ભારતમાં ક્યારેય એન્ટ્રી નહી થાય
કેન્દ્ર સરકારે ટિકટોક પર કાયમી પ્રતિબંધ લગાવ્યો
ટિકટોક સહિત 59 ચાઇનીઝ એપ્સ પર કાયમી પ્રતિબંધ
સૂચના અને પ્રૌધોગિકી મંત્રાલયે ટિકટોક સહિતની 59 ચાઈનીઝ મોબાઈલ એપ્સ પર ભારતમાં સ્થાયી પ્રતિબંધ લગાવ્યો હતો. કંપનીઓએ જે કારણો આપ્યા તેનાથી સરકાર સંતુષ્ટ ન હોવાના કારણે હવે આ એપ્સને કાયમી ધોરણે ભારતમાં બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
કંપનીઓને સ્થાયી પાબંધી પહેલા પોતાનો પક્ષ રાખવાનો અપાયો હતો અવસર
ચીની એપ્સ પર સ્થાયી પાબંધી મુદ્દે જોડાયેલા અધિકારીએ કહ્યં કે નોટિસ ગયા અઠવાડિયે જાહેર કરાઈ હતી. કેન્દ્રીય સૂચના અને પ્રોધોગિકિ મંત્રાલયે જૂન 2020માં આ 59 એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. તેમાં અલીબાબાના યૂસી બ્રાઉઝર અને ટેંસેટના વીચેટ એપ પણ સામેલ કરાયા હતા. કેન્દ્ર સરકારે દેશની સંપ્રભૂતા અને અખંડતતા ની સાથે સુરક્ષાનો ખતરો જોતાં આ એપ્સ પર પાબંધી લગાવી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે સ્થાયી પાબંધી પહેલા આ કંપનીઓેને પોતાનો પક્ષ રાખવાનો અવસર આપ્યો હતો.
કંપનીઓને આપવામાં આવ્યા હતા સવાલો, વિસ્તારથી આપવાના હતા જવાબો
મંત્રાલયે દરેક કંપનીઓના સવાલોના લિસ્ટ મોકલ્યા હતા. જેનો તેઓએ વિસ્તારથી જવાબ આપવાનો હતો. કેન્દ્ર સરકારે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટના સેક્શન 69-એ ના આધારે ચીની મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે લદ્દાખ સીમા પર ભારત અને ચીનના સૈનિકોની વચ્ચેની ઝડપ બાદ શરૂ થયેલા તણાવની વચ્ચે મોદી સરકારે આ તમામ એપ્સ પર બેન લગાવ્યો હતો. આ પછી સૈન્ય સત્રની અનેક વાત થઈ પણ સીમા વિવાદને લઈને કોઈ ઉકેલ હજુ સુધઈ મળી શક્યો નથી.
ટિકટોકે કહ્યું, અમે ભારત સરકારના નિર્દેશોનું પાલન કર્યું
ટિકટોકના એક અધિકારીએ કહ્યું કે નોટિસને વાંચ્યા બાદ અમે જવાબ આપી શકીશું. તેઓએ કહ્યું કે ટિકટોક પહેલી કંપની છે જેણે 29 જૂન 2020ના રોજ ભારત સરકારની તરફથી જાહેર કરાયેલા નિર્દેશોનું પાલન કર્યું છે. અમે સતત સ્થાનિક કાયદા અને નિયમોનું પાલન કરવા પ્રતિબદ્ધ છીએ, સાથે સરકારની તરફથી ચિંતાનું સમાધાન શોધવાની કોશિશ કરી રહ્યા છીએ. યૂઝર્સની પ્રાઈવસી અને ડેટાની સુરક્ષા અમારી પ્રાથમિકતા છે.