ચાઇના મિનિસ્ટ્રી ઓફ નેશનલ ડિફેન્સ તરફથી એક નિવેદનમાં દાવો કરાઈ રહ્યો છે કે પેગોન્ગ લેકના ઉત્તરી અને દક્ષિણી કિનારાઓથી ચીની અને ભારતીય સૈનિકો પાછળ ખસી રહયા છે.
ચીની સરકાર સમર્થક મીડિયા ગ્લોબલ ટાઇમ્સે કર્યો દાવો
ભારત-ચીને સૈનિકોને પરત બોલાવવાનું કર્યુ શરૂ
ગતવર્ષ મે મહિનાથી બંન્ને દેશની સેના વચ્ચે સ્થિતિ છે તણાવપૂર્વ
ચાઈનીઝ મિનિસ્ટ્રી ઓફ નેશનલ ડિફેન્સ તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે સૈન્ય કમાન્ડર લેવલની 9માં રાઉન્ડની વાતચીત પછી સધાયેલી સમજૂતી પર હવે અમલ શરુ થઇ ચૂક્યો છે, હવે ચીની અને ભારતીય સૈનિકો પેગોન્ગ લેકના કિનારાઓ પરથી પાછળ ખસવાનું શરુ થઇ ગયું છે.
બંને દેશોની સેનાએ સમજૂતીનું અમલ કરવાનું શરૂ કરી દીધું : ચીની અખબાર
મહત્વનું છે કે આ મામલે ચીની અખબાર ગ્લોબલ ટાઇમ્સે ચીની સંરક્ષણ મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે બુધવારની સૈન્ય વાતચીત પછી આ સહમતિ બની હતી અને બંને દેશોએ આ મામલે અમલ કરવાનું શરુ કરી દીધું હતું.
Chinese and Indian border troops on the southern and northern shores of Pangong Lake began disengagement as planned on Wednesday according to the consensus reached during the ninth round of military commander-level talks, reports Chinese media quoting Chinese Defence Ministry pic.twitter.com/J9d0iOQFWg
સૂત્રોના અનુસાર જે સહમતિ સધાઈ છે તેના પ્રમાણે ફિંગર 4માં બંને દેશો તરફથી કોઈ પણ પેટ્રોલિંગ નહિ કરવામાં આવે, તેને નો પેટ્રોલિંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે અને આ કામ ચરણબદ્ધ રીતે કરવામાં આવશે, ચીની સેનાએ હવે ફિંગર 8ની તરફ અને ભારતીય સેના ધનસિંહ થાપા પોસ્ટ (ફિંગર 2થી ફિંગર 3) તરફ પાછી ફરી રહી છે.
ગત મે મહિનાથી જ સ્થિતિ છે તણાવપૂર્ણ
મહત્વનું છે કે ગત વર્ષના મે મહિનાથી આ સેક્ટરમાં બંને દેશો વચ્ચે તણાવપૂર્ણ માહોલ છે, આ ઘટનાક્રમ ત્યારે શરુ થયો જયારે ચીની સેનાએ તેનો બળજબરીપૂર્વક ભારતના ક્ષેત્ર પર દાવો કરવાનું શરુ કરી દીધું, જે પછી બંને સેના વચ્ચે અથડામણ પણ થઇ હતી, જેમાં 15 જૂન 2020ની ઘટનામાં ગલવાન ઘાટીની હિંસામાં ભારતના પક્ષે 20 જવાનોને શહીદી વહોરી હતી, જો કે સામા પક્ષે ચીનના પણ ઘણા જવાનો માર્યા ગયા હતા, એક અનુમાન મુજબ આ સંખ્યા 35ની આજુબાજુ હતી, પણ ચીને આ બાબતે મૌન સેવ્યું હતું.
આ ઘટના પછી બંને પક્ષો તરફથી એલએસી પર મોટી સંખ્યામાં સૈનિકો અને સામગ્રી સરંજામની તૈનાતી કરવામાં આવી હતી, પરંતુ આ મામલે બંને દેશો વચ્ચે સૈન્ય કમાન્ડર લેવલની વાતચીત સતત ચાલુ હતી, જેમાં 8 રાઉન્ડ સુધી કોઈ નિષ્કર્ષ નીકળી શક્યું નહોતું, પણ 9માં રાઉન્ડમાં સમજૂતી સધાઈ હતી. જો કે આ મામલે ભારતીય સેના તરફથી કોઈ પણ આધિકારિક નિવેદન હજુ સુધી આપવામાં આવ્યું નથી.