ભારત અને ચીન વચ્ચેના સરહદ વિવાદને લઇને સૈન્ય તણાવની સ્થિતિને લઇને દેશમાં ચીનના રાજદૂત સુન વેઇડૉન્ગે આશા વ્યક્ત કરી છે કે બંને પક્ષ સૈન્ય તણાવની સ્થિતિને વધુ જટિલથી બચવા માટે નક્કર પગલા લેશે. પીટીઆઇ સાથેની વાતચીતમાં સુનને કહ્યું કે એકબીજાનું સન્માન અને સમર્થન નિશ્ચિત રીતે બંને દેશોના હિત માટે છે. બંને દેશોએ તે પ્રમાણે કામ કરવું જોઇએ.
પૂર્વી લદ્દાખમાં તણાવ ચરમ સીમા પર પહોંચ્યાં બાદ મુલાકાતોના દોર વચ્ચે ચીનને ગુરુવારે કહ્યું કે તેઓ સરહદ પરના ગતિરોધને દૂર કરવા માટે ભારતની સાથે મળીને કામ કરવા તૈયાર છે. આ સાથે ચીનના રાજદૂતે કહ્યું કે 'શંકા અને સંઘર્ષ' ખોટો રસ્તો છે તેમજ આ બંને દેશોના લોકોની મૌલિક આંકક્ષાઓથી અલગ છે.
ભારતમાં ચીનના રાજદૂત સુન વેઇદોને પીટીઆઇ સાથેની વાતચીતમાં કહ્યું કે ચીન અને ભારત મતભેદોને દૂર કરવામાં સક્ષમ છે. રાજદૂતે ભારતને એવી કાર્યવાહીથી બચવા આહ્વાન કર્યું છે જેમાં પૂર્વી લદ્દાખમાં સ્થિતિ 'જટિલ' બની શકે છે. રાજદૂતે એમ પણ કહ્યું કે વર્તમાનમાં ચીન-ભારત સરહદ પર સમગ્ર સ્થિતિ સ્થિર અને નિયંત્રણ હેઠળ છે.
ચીનના રાજદૂતે કહ્યું કે અમે આશા કરીએ છીએ કે ભારતીય પક્ષ ચીનના પક્ષની સાથે કેટલાંક મુદ્દાઓ પર સહમતિ દર્શાવશે, એવી કાર્યવાહી કરવાને લઇને બચશે જે સરહદ પરની સ્થિતિને વધુ જટિલ બનાવી શકે છે અને સરહદી વિસ્તારમાં સ્થિરતા બનાવી રાખવા માટે ઠોસ કાર્યવાહી કરશે.
ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન સેનાઓ વચ્ચે છેલ્લા છ અઠવાડિયાથી પૂર્વી લદ્દાખમાં કેટલાંક સ્થાનો પર આમને-સામને આવ્યાં છે. 15 જૂનના રોજ ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપમાં 20 ભારતીય સૈનકો શહીદ થયા બાદ તણવા ઘણો વધી ગયો.