ભગવાન શિવનું 11મું સ્વરૂપ રૂદ્ર રૂપ સંકટમોચન હનુમાનજીને માનવામાં આવે છે. માન્યતાઓ અનુસાર કહેવામાં આવે છે કે હનુમાનજી આજ પણ ધરતી પર લોકોના કષ્ટો દૂર કરવા આજે પણ છે. એ પોકાના ભક્તોની પ્રાર્થાન સાંભળીને તરત જ ચમત્કાર દેખાડે છે. કારણ કે ત્રેતાયુગમાં પ્રભુ શ્રીરામે એમને કળયુગના અંત સુધી ધર્મની સ્થાપના અને ભક્તોના કલ્યાણ માટે પૃથ્વી પર રહેવા કહ્યું હતું કે એટલા માટે દેશભરમાં હનુમાનજીના ભક્ત એમની પાસે પોતાનું દુથખ લઇને મંદિર જાય છે અને આસ્થા અુસાર વ્રત અને તપસ્યા કરે છે. બજરંગબલીના આ ચમત્કારોની વચ્ચે એક ચમત્કારી મંદિર પણ મોજૂદ છે જ્યાં ભક્તો એમની ઇચ્છાઓ લઇને આવે છે અને પૂરી થવાના આશીર્વાદ લઇને આવે છે.
આ મંદિર મધ્યપ્રદેશમાં આવેલું છે. આ મંદિર ભોપાલથી 40 કિમી દૂર રાયસેન જિલ્લાના ગ્રામ છિંદમાં હનુમાન દાદા જી લોકોની આસ્થાનું પ્રમુખ કેન્દ્ર છે. અહીંયા વર્ષ દરમિયાન ભક્તોની ભીડ રહે છે અને ખાસ કરીને દરેક મંગળવારે ભક્ત અહીંયા શિશ ઝુકાવા આવે છે. મંદિરમાં દર મંગળવારે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. ભંડારા બાદ અહીંયા ભજન સંધ્યા હોય છે.
હનુમાન દાદા ના આ દરબારમાં અમીર ગરીબ નેતા કે અભિનેતા દરેક લોકો દર્શન કરવા આવે છે. આ મંદિર પરિસરમાં વિશાળ પીપળાના ઝાડની નીચે દક્ષિણમુખી દાદાજીની પ્રતિમા છે. આ દરબાર આશરે 200 વર્ષ જૂનું જણાવવામાં આવે છે.