નિર્ભય મિસાઇલ 1000 કિ.મી. સુધી હુમલો કરવા માટે સક્ષમ છે. તે તિબેટમાં ઘૂસીને મોટા પાયે વિકસાવાયેલા ચીની ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલો કરીને તેને ધ્વસ્ત કરવા માટે સક્ષમ છે. સૌથી મોટી ગર્વની વાત એ છે કે આ મિસાઈલ ન્યુક્લિયર પાવર્ડ પણ છે અને 300 કિગ્રા જેટલા વજનનું વોરહેડ લઈને જઈ શકે છે.
સીમા પર ભારતની સૈન્ય શક્તિ થશે મજબૂત
સરહદ પર તૈનાત કરવામાં આવી નિર્ભય મિસાઈલ
તિબેટમાં ચીની ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધ્વસ્ત કરવા માટે સક્ષમ
Line of Actual Control એટલે કે LAC પર ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતની સૈન્ય તાકાતને વધુ મજબૂત બનાવવામાં આવી છે. ભારતે સરહદ પર સ્વદેશી નિર્ભય ક્રુઝ મિસાઇલ પણ તૈનાત કરી છે. આ મિસાઇલ 1000 કિલોમીટર સુધી હુમલો કરવામાં સક્ષમ છે. નિર્ભય મિસાઇલ તિબેટમાં ચીનના લક્ષ્યો પર હુમલો કરવામાં સક્ષમ છે.
ભારત અને ચીન વચ્ચે ચાલી રહ્યો છે સીમા વિવાદ
5 મહિનાથી વધુ સમયથી ભારત અને ચીન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ઘણી જગ્યાએ બંને દેશોની સેનાઓ સામ-સામેઆવી ગઈ છે. આવી સ્થિતિમાં ભારતે તેની સૌથી વિશ્વસનીય મિસાઇલ સરહદ પર ગોઠવી દીધી છે. જેની રેન્જ 1000 કિમી જેટલી છે, તે ક્રુઝ મિસાઈલ છે અને સંપૂર્ણ સ્વદેશી મિસાઈલ છે.
મિસાઇલ ની વિશેષતા શું છે ?
આ મિસાઇલની ક્ષમતા અમેરિકાની પ્રખ્યાત ટોમાહોક મિસાઇલ સાથે થઈ શકે છે. આ મિસાઇલ માર્ગ ભટક્યા વિના તેના લક્ષ્યોને સાધીને ત્રાટકવા માટે સક્ષમ છે. નિર્ભય ક્રુઝ મિસાઇલની ડિઝાઇન અને ડેવલોપમેન્ટ ભારતમાં કરવામાં આવી છે. આ મિસાઇલનું પ્રથમ પરીક્ષણ 12 માર્ચ, 2013 ના રોજ કરવામાંઆવ્યું હતું.
બે તબક્કાની મિસાઈલ છે નિર્ભય
નોંધનીય છે કે નિર્ભય બે તબક્કાની મિસાઇલ છે, પ્રથમ તબક્કામાં તે સીધા ડાયરેક્શન માં ઉપર ચડે છે અને પછી બીજા તબક્કામાં 90 ડિગ્રી વળીને તે તેના લક્ષ્ય પર ત્રાટકવા માટે ઉડ્ડયન કરે છે. આ મિસાઈલ જો કે સબસોનિક છે એટલે કે તેની સ્પીડ અવાજની સ્પીડ કરતાં ઓછી છે, પરંતુ તિબેટના પર્વતીય વિસ્તારને જોતાં ત્યા વિકસાવેલા ચીની બાંધકામો જેવા કે પુલ, રસ્તા, લોજિસ્ટિક્સ, બાંકર, અથવા તેના માલસામાન ના સપ્લાયને આપી શકે છે.
આ મિસાઇલ 6 મીટર લાંબી અને 0.52 મીટર પહોળી બનાવવામાં આવી છે. આ મિસાઇલ 0.6 થી 0.7 mech ની સ્પીડ સુધી ઉડી શકે છે, તેનું મહત્તમ વજન 1500 કિલો છે જે 1000 કિલોમીટર સુધી ત્રાટકી શકે છે, એડવાન્સ સિસ્ટમ્સ લેબોરેટરી દ્વારા બનાવવામાં આવેલ સોલિડ રોકેટ મોટર બૂસ્ટરનો ઉપયોગ મિસાઇલને ફ્યુલ આપવા માટે થાય છે. .