ચીનને ભારત અને તાઈવાન સાથે ઘણા વિસ્તારોમાં તણાવ ચાલી રહ્યો છે.ત્યારે ભારત તાઈવાન સાથે મજબૂત સંબંધો બનાવીને ચીનને મજબૂત સંદેશ મોકલી શકે છે.
ચીનની નીતિઓ પર ભારતે વિચાર કરવો જોઈએ
ભારતે તાઇવાન સાથે વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરે
ભારત અને તાઈવાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી શક્ય છે
ચીનની નીતિઓ પર ભારતે વિચાર કરવો જોઈએ
ભારત અને ચીન વચ્ચે વધેલા તણાવને કારણે, ઘણા નિષ્ણાતો માને છે કે ભારતે તેની ચીન નિતિ પર પુનઃવિચાર કરવાની જરૂર છે. ઘણા કહે છે કે, ભારતે ચીનની વન ચાઈના નીતિ સામે આવવું જોઈએ, જ્યારે કેટલાકે તિબેટ કાર્ડ વગેરે રમવાની સલાહ આપી છે. પરંતુ કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે, ભારત તાઈવાન સાથે મજબૂત સંબંધો બનાવીને ચીનને મજબૂત સંદેશ મોકલી શકે છે. ભારત અને તાઈવાન તેમની રાજધાનીમાં વેપાર અને સાંસ્કૃતિક વિનિમય કચેરીઓ આવેલી છે. મે 2020માં સાંઈ ઈંગ વેના શપથ સમારોહમાં ભાજપના સાસંદ મીનાક્ષી લેખીએ ઓનલાઈન હાજરી આપી હતી.
ભારતમાં તાઈવાન સેમીકંડક્ટર પ્લાન્ટ સ્થાપશે
એક મીડિયા રિપોર્ટ સૂચવે છે કે તાઇવાન ભારતમાં 7.5 અબજ ડોલરના સેમિકન્ડક્ટર અથવા ચિપ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે વાતચીત કરી રહ્યું છે. આ ચિપ્સનો ઉપયોગ કોમ્પ્યુટર, સ્માર્ટફોન, ઇલેક્ટ્રિક કાર અને મેડિકલ સાધનો સહિત ઘણી જગ્યાએ થાય છે.
ભારતે તાઇવાન સાથે વ્યૂહાત્મક સંબંધો મજબૂત કરે
તાઈવાન અને ભારત વચ્ચે ઔપચારિક રાજગરાદ્વારી સંબંધો નથી . 1990ના દાયકામાં બંને પક્ષો વચ્ચે અનૌપચારિક સંબંધો હતાં. પરંતુ નિષ્ણાતો માને છે કે, બંને દેશો વચ્ચે નોંધપાત્ર સંબંધો બંધાયા નથી.
નિષ્ણાતોના મતે ભારત અને તાઈવાન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી શક્ય છે
નિષ્ણાતો માને છે કે ભારત માટે હાલમાં તાઇવાનને એક દેશ તરીકે માન્યતા આપવી શક્ય નથી, પરંતુ બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી શક્ય છે. ચીન જે રીતે તાઇવાન પર દબાણ લાવી રહ્યું છે, ભારત તાઇવાન સાથે વધુ સારા સંબંધો બાંધવાની આ તકનો લાભ લઇ શકે છે.