ચીનમાં કોરોના વાયરસની વેક્સીન સંક્રમણ રોકવામાં અસફળ રહી છે. જાણો આ વેક્સીનની અસફળતા પાછળના કારણો અને હાલમાં ચીનમાં શું પરિસ્થિતિ છે.
ચીનની વેક્સીન SinoVac ગઈ ફેલ
SinoVac લીધા બાદ પણ 3% વૃદ્ધોનાં મૃત્યુ
હાલમાં ચીનની પરિસ્થિતિ ખરાબ
ચીનની વેક્સીનની અસફળતા
કોરોના વાયરસના સંક્રમણથી પ્રભાવિત મોટાભાગના દેશમાં સ્થિતિ હવે સામાન્ય થઇ રહી છે. જ્યારે ચીનમાં એક વાર ફરીથો કોવિડ-19નાં કેસ વધી રહ્યા છે, જેનાં પર કાબૂ મેળવવામાં પ્રશાસનને ઘણી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થિતિ દિવસેને દિવસે બગડતી જઈ રહી છે. આ સંકટ પાછળ બે મુખ્ય કારણ છે. સૌથી પહેલું, બીજિંગની 'ઝીરો કોવિડ' પોલિસીની ફેલ થવું અને બીજી છે કોરોના વાયરસ વિરુદ્ધ ચીની વેક્સીનનું અસરકારક સાબિત ન થવું.
ચીની વેક્સીન SinoVac અને SinoPharm કોરોના વાયરસ વિરુસ્શ એંટીબોડી બનાવવા માટે વિકસિત કરવામાં આવેલા ટીકામાંની છે. ચીને આ ટીકાને અલગ અલગ દેશમાં મોકલ્યા અને અમુક ગરીબ દેશને દાન પણ કર્યા. સમય સાથે આ વેક્સીનનાં અપ્રભાવી હોવાની ફરિયાદો આવવા લાગી, પરંતુ ચીને એ રિપોર્ટ્સને નામંજૂર કર્યા હતા.
ચીની વેક્સીન SinoVac ગઈ ફેલ
ઘણા દેશોએ કોરોના વિરુદ્ધ એક બીજી વેક્સીન પણ જાહેર કરી હતી, જેને બૂસ્ટર ડોઝનાં રૂપમાં પણ ઓળખવામાં આવે છે. આ તેમને લગાવવામાં આવે છે, જેમણે પહેલા વેક્સીન લઇ લીધી હોય. ડિસેમ્બરનાં અંતમાં જ્યારે ઓમિક્રોન વેરીયંટ ઝડપથી ફેલાઈ રહ્યો હતો, ત્યારે ચીનની SinoVac વેક્સીન તેની સાથે મુકાબલો કરવામાં ઘણી હદ સુધી અસફળ રહી હતી.
હોંગકોંગ વિશ્વવિધ્યાલય તરફથી કરવામાં આવેલ સ્ટડી અનુસાર, SinoVac ઓમિક્રોન વિરુદ્ધ એંટીબોડી વિકસિત કરવામાં અસફળ સાબિત થઇ હતી. આ ઉપરાંત, તે એ લોકોમાં પર્યાપ્ત સ્તરની સુરક્ષા આપવામાં અસફળ રહી, જેમણે પહેલા પણ બે ડોઝ લઇ લીધા હાતા. આ નિશ્ચિત રૂપથી ચીની સ્વાસ્થ્ય અધિકારીઓ માટે સારા સમાચાર નથી, કેમકે 2021 સુધી 1.6 બિલિયન આબાદીને 2.6 મિલિયનથી પણ વધારે ડોઝ આપવામાં આવ્યા હતા.
SinoVac લીધા બાદ પણ 3% વૃદ્ધોનાં મૃત્યુ
એક સરકારી રિપોર્ટ આનુસાર, 80 વર્ષથી વધારે ઉંમરનાં 3 ટકા લોકોના મૃત્યુ ચીની વેક્સીન SinoVacના બે ડોઝ લીધા બાદ પણ જોવા મળ્યા. એક ડોઝ લેનાર લોકોમાં મૃત્યુ દર 6 ટકા છે. આ ઉપરાંત, ચીની રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગનાં એક ડોક્યુમેન્ટથી જાણ થઇ કે ચીની વેક્સીનને કારણે લ્યૂકેમિયાની ફરિયાદો વધવા લાગી હતી.
વેક્સીનની અસફળતાએ ચીનનાં અધિકારીઓ પાસે સંક્રમણની ચેનને તોડવા માટે લોકડાઉન સિવાય કોઈ વિકલ્પ છોડ્યો ન હતો. મોટા શહેરોને બંધ કરવામાં આવ્યા છે, લોકોને ઘરોમાં કેદ કરવામાં આવ્યા છે, બજારો બંધ છે અને ઉદ્યોગની સપ્લાય ચેન પણ તૂટી ગઈ છે. આથી લોકોની દિનચર્યા પણ પ્રાભાવિત થઇ રહી છે. સાથે નોકરીનાં સ્ત્રોત પણ સમાપ્ત થઇ ગયા છે. હાલના મામલાઓમાં સંખ્યા વધવાની સાથે સાથે ચીન વિભિન્ન પ્રમુખ શહેરોમાં પણ તાળા મારતું જઈ રહ્યું છે.