ચીનમાં કોરોનાને નાથવા માટે કોરોના વૈક વેક્સીનના પ્રારંભિક ક્લિનિકલ ટ્રાયલના પરિણામમાં દાવો કરાયો છે કે આ વેક્સીન અત્યાર સુધી સુરક્ષિત ગણાઈ છે. તેણે 18-59 વર્ષના સ્વસ્થ લોકોમાં એન્ટીબોડીઝ પણ વિકસિત કર્યા છે.
ચીનથી આવ્યા સારા સમાચાર
કોરોનાને નાથવા તૈયાર થઈ વેક્સીન
કોરોના વૈકના પરિણામ સુરક્ષિત આવ્યા
લાસેંટ ઈફેક્શિયસ ડિસિઝમાં મળતી માહિતી અનુસાર સંક્રમણની વેક્સીન બનાવવાની દોડમાં કોરોના વૈક પહેલા વેક્સીનના 28 દિવસમાં લોકોમાં એન્ટીબોડીની પ્રક્રિયા શરૂ કરે છે. ચીનના જિયાંગ્સૂ પ્રૉવેંશિયલ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલના શોધમાં સોથી વધુ એન્ટીબોડીઝ પ્રતિક્રિયા ઉત્પન્ન કરનારા સૌથી વધારે ડોઝની શોધનો દાવો કર્યો છે.
અધ્યયનમાં કરાયો છે આ દાવો
અધ્યયનમાં કહેવાયું છે કે કોરોના વૈકના 2 ડોઝથી 14 દિવસના અંતરે આપવામાં આવેલી વેક્સીનના 4 અઠવાડિયા સુધીમાં સર્વાધિક એન્ટીબોડીઝ પ્રતિક્રિયા જન્માવવામાં સક્ષમ છે.