લદ્દાખમાં એક્ચ્યૂલ લાઈન ઓફ કન્ટ્રોલ(LAC)પર ગત 9 મહિનાતી ભારતની સાથે તણાવ યથાવત રાખતા ચીને ફરી એક વાર ચોંકાવ્યું છે. જાણો શું કર્યું...
ચીની સેનાએ બે દિવસની અંદર 200થી વધારે ટેંકોને પાછળ હટાવી દીધી
ભારતે આ વાતચીતમાં કંઈ પણ ગુમાવ્યું નથી
નવ મહિના સુધી તણાવ ચાલૂ રાખ્યા બાદ આ સફળતા મળી
ચીની સેનાએ બે દિવસની અંદર 200થી વધારે ટેંકોને પાછળ હટાવી દીધી
બન્ને દેશોની વચ્ચે થયેલી સમજૂતિ વાર્તા બાદ હવે ચીન ઝડપથી પીછે હટ કરી રહ્યું છે. ચીન અને ભારતની સેનાઓએ સમજૂતી હેઠળ પૈંગોંગ લેકના ઉત્તર અને દક્ષિણી તટ સુધી બુધવારે સવારથી પીછે હટના શરુ કરી દીધી છે. બન્ને સેના વિસ્તારમાં શાંતિ અને અમન કાયમ રાખવા માટે આગળ વધવા ઈચ્છી રહી છે. તેવામાં મીડિયા રિપોર્ટ અનુસાર ચીનની સેનાઓએ વિસ્તારમાં ફક્ત બે દિવસની અંદર 200થી વધારે ટેંકોને પાછળ હટાવી દીધી છે.
ભારતે આ વાતચીતમાં કંઈ પણ ગુમાવ્યું નથી
ત્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે સંસદમાં જાણકારી આપી હતી કે ચીનની સાથે પૈગોંગ લેકના ઉત્તર તથા દક્ષિણી કિનારો પર સેનાએ પીછે હટ કરવાની સમજૂતિ થઈ ગઈ છે અને ભારતે આ વાતચીતમાં કંઈ પણ ગુમાવ્યું નથી. તેમણે જણાવ્યું કે પૈંગોગ લેક વિસ્તારમાં ચીનની સાથે સેનાઓના પીછે હટવાની જે સમજૂતિ થઈ છે તેના અનુસાર બન્ને પક્ષો અગ્રિમ તૈનાતી ચરણબદ્ધ, સમન્વિત અને સત્યાપિત રીતે હટાવશે.
નવ મહિના સુધી તણાવ ચાલૂ રાખ્યા બાદ આ સફળતા મળી
સીમા પર નવ મહિના સુધી ગતિરોધ ચાલૂ રાખ્યા બાદ આ સફળતા મળી છે. લોકસભા અને રાજ્યસભામાં આપવામાં આવેલા નિવેદનમાં રક્ષા મંત્રીએ હાલમાં જણાવ્યું કે હજું પણ પૂર્વ લદ્દાખમાં એક્ચ્યૂલ લાઈન ઓફ કન્ટ્રોલ પર તૈનાતી તથા પેટ્રોલિંગ અંગેના કેટલાક મુદ્દાઓ બચ્યા છે. જેને આગળની વાતચીતમાં રાખવામાં આવશે.
ભારતીય સેનાએ વીડિયો શેર કર્યો
આ અંગે ભારતીય ભૂ સેના દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં પૈંગોગ લેકની દક્ષિણ કિનારાથી ચીનની પીપુલ્સ લિબરેશન આર્મી (પીએલએ)ના 3 ટેંકોને પાછળ હટાવતા અને ભારતીય સેનિકો દ્વારા એક ટેંકને પાછળ હટવતા જોઈ શકાય છે. આ ઉપરાંત બન્ને પક્ષોએ સૈનિકોની વચ્ચે બેઠકની સંક્ષિપ્ત ફુટેજ પણ છે. સૂત્રોના જણાવ્યાનુંસાર ટેંકો અને અન્ય બખ્તરબંદ સૈન્ય સાધનોના સામાનને અથડામણવાળા સ્થાનોથી હટાવાની પ્રક્રિયા પૂરી થવાના આરે છે. જ્યારે લેકના ઉત્તર કિનારાથી સૈનિકોને પાછળ હટાવવાનું કાર્ય કરી રહ્યું છે.
નરવણેએ નવા પડકારોને લઇને તૈયાર રહેવા જણાવ્યું
ઉલ્લેખનીય છે કે આમ છતાં ભારતની સરહદની સ્થિતિને ધ્યાનમાં લઇને આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેએ નવા પડકારોને લઇને તૈયાર રહેવા જણાવ્યું છે. આ સાથે મુકુંદ નરવણેએ કહ્યું કે આ ખતરાઓને પહોંચવા ભારતે આક્રમક વલણ અને વધારે મજબૂત થવાની જરૂર છે. એક કાર્યક્રમમાં પોતાના સંબંધોનમાં આર્મી ચીફ મુકુંદ નરવણેએ કહ્યું આપણા દેશની ઉત્તરી સીમા પર જે પરિસ્થિતિનું નિર્માણ થયા બાદ આપણને ગંભીરતાથી વિચારવા માટે મજબૂર કરી દીધા છે. આપણી સીમાઓનું સાચુ નિર્ધારણ ન હોવાના કારણે આપણી અંખડતા અને સંપ્રભુતા સંરક્ષણમાં પડકારો છે. નોંધનીય છે કે 9 મહિનાથી પૂર્વ લદ્દખમાં સીમા પર બન્ને દેશોની વચ્ચે તણાવ બનેલો છે. આ તણાવનો સમાપ્ત કરવા માટે સપ્ટેમ્બર 2020થી સતત સૈન્ય અને કુટનીતિક સ્તર પર બન્ને પક્ષોમાં અનેક વાતચીત થઈ છે.