ચીનના વૈજ્ઞાનિકોએ મચ્છરોથી છૂટકારો મેળવવા માટે ઈન્કમ્પેટિબલ એન્ડ સ્ટરાઈલ ઈન્સેક્ટ ટેક્નિક (આઈઆઈટી-એસઆઈટી)ને ભેગી કરીને એક અનોખો પ્રયોગ હાથ ધર્યો હતો. આ ટેક્નિકની મદદથી ગુઆંગઝાઓ શહેર નજીક આવેલી પર્લ નદીના કિનારે વસેલા બે ટાપુ પરથી એશિયન ટાઈગર નામની મચ્છરોની એક પ્રજાતિને સંપૂર્ણ નષ્ટ કરી દેવામાં સફળતા મળી છે.
રાત્રે ઊંઘતી વખતે જો મચ્છર (mosquitoes) તમારી ગાઢનિંદ્રામાં ખલેલ પહોંચાડતા હોય તો આવનારા સમયમાં તમને આ પરેશાનીથી રાહત મળવાની છે. આપણા પાડોશી દેશ ચીને મચ્છર સામે સુરક્ષા મેળવવા એક ગજબની ટેક્નિક (technique) શોધી કાઢી છે. ચીનના વૈજ્ઞાનિકોએ એક સ્પેશિયલ ટેક્નિકની મદદથી બે ટાપુ પરથી મચ્છરોનો સંપૂર્ણ સફાયો કરી દીધો છે. જોકે આ પ્રક્રિયામાં બે વર્ષનો સમય લાગ્યો હતો
ચીનના વૈજ્ઞાનિકોએ મચ્છરોથી છૂટકારો મેળવવા માટે ઈન્કમ્પેટિબલ એન્ડ સ્ટરાઈલ ઈન્સેક્ટ ટેક્નિક (આઈઆઈટી-એસઆઈટી)ને ભેગી કરીને એક અનોખો પ્રયોગ હાથ ધર્યો હતો. આ ટેક્નિકની મદદથી ગુઆંગઝાઓ શહેર નજીક આવેલી પર્લ નદીના કિનારે વસેલા બે ટાપુ પરથી એશિયન ટાઈગર નામની મચ્છરોની એક પ્રજાતિને સંપૂર્ણ નષ્ટ કરી દેવામાં સફળતા મળી છે.
ઇન્ટરનેશનલ જનરલ ઓફ સાયન્સમાં પબ્લિશ થયેલ અભ્યાસ અનુસાર માદા મચ્છરોને રેડિયેશનનાં ઓછાં સ્તરથી નપુંસક બનાવી અને નર મચ્છર માટે તેમણે Wolbachina bacteriaનો ઉપયોગ કર્યો. આ મચ્છરોને 2016થી 2017 વચ્ચે બ્રીડીંગ સીઝન દરમ્યાન ગુઆંગઝાઓ ટાપુ પર છોડી દેવાયા. પરિણામમાં બંને ટાપુ પરથી મચ્છરની આખી પ્રજાતિને સંપૂર્ણપણે ખતમ કરવામાં સફળતા મળી.
દુનિયાભરમાં મચ્છરો ઝીકા, મેલેરિયા, ડેન્ગ્યુ જેવી ગંભીર અને જીવલેણ બીમારીઓ ફેલાવી રહ્યા છે. મચ્છરોના સતત વધતા જતા ત્રાસમાં આ નવી ટેક્નિક આશીર્વાદરૂપ સાબિત થઈ શકે છે. ચીન આગામી સમયમાં મોટા શહેરી વિસ્તારોમાં પણ આ ટેક્નિકનું પરીક્ષણ કરવાની તૈયારી કરી રહ્યું છે. એસઆઈટી ટેક્નિકમાં રેડિએશનની મદદથી નર મચ્છરોને નપુંસક બનાવી દેવામાં આવે છે. તેમ કરવાથી ધીમે ધીમે એ વિસ્તારમાં થોડા સમયમાં જ મચ્છરો સાવ નષ્ટ થઈ જાય છે. આ પ્રક્રિયામાં ચીનના વૈજ્ઞાનિકોએ વોલ્બાચિયા નામના બેક્ટેરિયાની મદદ પણ લીધી હતી.