કોરોના મહામારીની વચ્ચે ચીને ભારતને તમામ પ્રકારની મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે.
ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું ટ્વિટ
ટ્વિટ કરીને ભારતને આપી મદદની ખાતરી
ભારતમાં ગંભીર હાલત અંગે અમે ચિંતિત છીએ
ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનયિંગે ટ્વિટ કરીને જણાવ્યું કે ભારતમાં ગંભીર હાલત અંગે અમે ચિંતિત છીએ. ભારત જો અમને તેની જરુરિયાતો અંગે જાણ કરે તો અમે મદદ માટે તૈયાર છીએ.
We're concerned about the grave situation in #India. We're ready to be of help if India tells us its specific needs.
ચીન એક બાજુ મદદની વાત કરી રહ્યો છો તો બીજી બાજુ તેણે ભારતની એક મોટી મદદ અટકાવી છે. સિચુઆન એરલાઈન્સ દ્વારા ભારતને અતિ જરુરી ઓક્સિજન કોન્સર્ટ્રેટર તથા બીજા મેડિકલ સાધનો મળવાના હતા પરંતુ હવે ચીને આ ફ્લાઈટ અટકાવી દીધી છે.
ઓક્સિજન ઉપકરણોની કિંમતોમાં 35 થી 40 ટકાનો વધારો કર્યો
ચીની મેન્યુફેકચર્સે ઓક્સિજન સંબંધી ઉપકરણોની કિંમતોમાં 35 થી 40 ટકાનો વધારો પણ કરી દીધો છે. એટલું જ નહીં પરંતુ ચીને ભારતને સામાન પહોંચાડવામાં થનારી ફીમાં પણ 29 ટકાનો વધારો કરી નાખ્યો છે. શંઘાઈમાં માલ મોકલનાર કંપની સાઈનો ગ્લોબલ લોજિસ્ટીકના સિદ્ધાર્થ સિંહાએ જણાવ્યું કે સિચુઆન એરલાઈન્સના આ નિર્ણયને કારણે બન્ને દેશોના વેપારીઓ પર અવળી અસર પડશે.
આયાત અછતનું બહાનું કાઢીને ફ્લાઈટ અટકાવી
સિચુઆન એરલાઈન્સનો ભાગ બનેલી સિચુઆન ચુઆનહાંગ લોજિસ્ટીક કોર્પોરેશન લિમિટેડના માર્કેટિંગ એજન્ટ દ્વારા જારી પત્રમાં કહેવાયું કે એવિએશન કંપની શિયાન દિલ્હી સહિત છ રુટ પર તેની કાર્ગો સેવા સ્થગિત કરી રહી છે. લેટરમાં કંપનીએ જણાવ્યું કે મહામારીની સ્થિતિમાં આવેલા અચાનક ફેરફારને કારણે આયાતની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. તેથી આગામી 15 દિવસ સુધી ફ્લાઈટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ચીની કંપનીએ જણાવ્યું કે કાર્ગો ફ્લાઈટ બંધ રહેવાને કારણે કંપનીને મોટું નુકશાન થશે. અમે આ બદલ માફી માંગીએ છીએ.