દુનિયાભરમાં કોરોનાનો કહેર ચાલુ છે . ચીના વુહાનમાંથી ફરી કોરોનાના કેસ આવવા લાગ્યા છે. જેનાથી ડરના માહોલ છે. આ દરમિયાન કોરોના વાયરસની ઉત્પત્તિ અંગે જાણવા માટે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના 13 સભ્ય ચીનના વુહાન શહેર પહોંચી ગયા છે. જ્યાં ચીની સરકારે તેમને 14 દિવસ માટે ક્વોરેન્ટાઈન કર્યા છે. હકિકતમાં WHOની ટીમના કુલ 15 સભ્યો હતા. જેમાંથી સિંગાપુરના 2 સભ્યો કોરોના સંક્રમિત મળ્યા હતા. તેવામાં બાકીના 13 સભ્યો જ ચીન પહોંચ્યા. પરંતુ તેમને તપાસ કરવાના કારણથી જ ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.
WHOની ટીમને ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવી
દુનિયાભરના દેશોને ફરી કોઈ મોટા ખુલાસાને લઈને શંકા થઈ રહી છે
WHOએ ટ્વીટ કરી જાણકારી આપી
WHOની ટીમને ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવી
ઉલ્લેખનીય છે કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શરુઆતથી કોરોનાને ચીની વાયરસ કરાર આપી રહ્યા હતા અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન પર ચીનની તરફેણ કરવાનો આરોપ લાગતો રહ્યો છે. આ ઉપરાંત આખી દુનિયા ચીનના વુહાનને કોરોના માટે જવાબદાર ગણાવી રહી છે અને તેની સાથે જોડાયેલા તથ્યો છુપાવાના આરોપો ચીન સરકાર પર લાગતા રહ્યા છે. અનેક દેશોએ વુહાનમાં તપાસ કરવાની વાત પણ કરી છે. જો કે ચીને આ પ્રસ્તાવ ફગાવી દીધા છે. હવે એક વર્ષ બાદ WHOની ટીમ ત્યાં તપાસ માટે પહોંચી તો તેમને ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવી છે. તેવામાં દુનિયાભરના દેશોને ફરી કોઈ મોટા ખુલાસાને લઈને શંકા થઈ રહી છે.
The international team of 13 scientists examining the origins of the virus that causes #COVID19 arrived in Wuhan, #China, today.
The experts will begin their work immediately during the 2 weeks quarantine protocol for international travelers.
WHOએ ટ્વીટ કરી જાણકારી આપી કે કોરોના વાયરસ ક્યાંથી ઉત્પન્ન થયો તેની તપાસ માટે આંતરરાષ્ટ્રીય ટીમના 13 સાયન્ટિસ્ટ વુહાન પહોંચી ચૂક્યા છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે 14 દિવસના ક્વોરેન્ટાઈનનો સમય પુરો કર્યા બાદ તે વિશેષજ્ઞો પોતાની તપાસ શરુ કરશે. WHOએ પોતાના ટ્વીટમાં એમ પણ કહ્યું છે કે પ્રવાસની પહેલા આ સભ્યોની તેમના ગૃહ દેશમાં અનેક પીસીઆર અને એન્ટીબોર્ડી તપાસ થઈ ચૂકી હતી. જે નેગિટવ આવી છે. પરંતુ આ બાદ તેમનો સિંગાપુરમાં પીસીઆર ટેસ્ટ થયો. જેમાં 2 લોક કોરોના પોઝિટિવ અને 13 નેગેટિવ આવ્યા હતા. જે સભ્યો નેગેટિવ આવ્યા હતા તેમને વુહાન મોકલવામાં આવ્યા છે.
શું ચીનના કારણે રોકવામાં આવેલા સભ્યો?
વોલ સ્ટ્રીટ જર્નલની એક રિપોર્ટ મુજબ 2 એક્સપર્ટ કોરોના તપાસ ક્લિયર નથી કરી શક્યા. જેના કારણે તેમને ચીન જવાની પરવાનગી નથી મળી. જો કે તેમનામાં કોરોનાના કોઈ લક્ષણ નથી. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સિંગાપુરમાં થયેલા કોરોના ટેસ્ટમાં સંપૂર્ણ રીતે ચીન સામિલ હતુ. જેના કારણેથી બન્ને પ્લેનમાં બેસવાની પરવાનગી મળી નહોંતી. જો કે આ મામલામાં પોતાનો બચાવ કરતા ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું કે મહામારીને લઈને નિયંત્રણ સંબંધી નિયમોનું કડકાઈથી પાલન થશે. મીડિયા બ્રિફિંગમાં તેમણે કહ્યું કે અમે તપાસમાં WHOના સભ્યોની તમામ શક્ય મદદ કરીશુ.