ભારત-ચીન વચ્ચે કેટલાક મહિનાઓથી ચાલી રહેલા ઘર્ષણ બાદ LAC પર સ્થિતિ સામાન્ય કરવાની કવાયત તેજ થઇ ગઇ છે. ભારત સરકારની કૂટનીતિ કામ આવી અને ચીની સેના પાછળ હટવા મજબૂર થઇ ગઇ.
ભારતની કૂટનીતિ અને આર્મીએ દેખાડ્યો દમ
પૂર્વી લદ્દાખમાં ફિંગર 4થી પાછળ હતી ચીની સેના
પેટ્રોલિંગ ત્યાં સુધી નહીં કરવામાં આવે જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય
પૂર્વી લદ્દાખમાં પૈંગોંગ ઝીલની પાસે આવેલ ફિંગર 4 એરિયાથી ચીની સૈનિકો પરત ફર્યા છે. ઉલ્લેખનીય છે કે, પૈંગોંગ ઝીલના ઉત્તરી કિનારા પર આવેલ આ મહત્વપૂર્ણ પહાડો પર ચીની સૈનિકોએ લાંબા સમય સુધી કબજો કરી રાખ્યો હતો.
ખાનગી ન્યૂઝ એજન્સીને એક સુરક્ષા અધિકારીએ જણાવ્યું કે, ફિંગર 4 એરિયામાં ચીની સૈનિકોનો મોટો ઘટાડો થઇ ગયો છે. ચીન ફિંગર 5 અને ફિંગર 8 વચ્ચે પોતાના કેટલાક શલ્ટર્સ અને અન્ય સ્ટ્રક્ચર્સને પણ હટાવી દીધા છે. અધિકારીઓએ એમ પણ કહ્યું કે, તણાવના સમયે વધુ બોટો માટે જે ઠેકાણા ચીન દ્વારા બનાવવામાં આવ્યા હતા, તેને પણ હટાવી દેવાયા છે.
LAC પર ટેન્શન વધ્યા બાદ ચીન દ્વારા ફિંગર 5 અને 6 વચ્ચે વધુમાં વધુ બોટને રાખવા માટે બનાવવામાં આવેલા તમામ પ્લેટફૉર્મ પણ હવે ત્યાં હાજર નથી. હવે એવી જેટ્ટિઓ ફિંગર 8ની પાછળ છે. ઉલ્લેખનીય છે કે, પૈંગોંગ લેકની પાસે આવેલ ફિંગર 8 સુધીના ક્ષેત્ર પર ભારત પોતાનો દાવો કરે છે.
ચીની સેના દ્વારા ઉઠાવવામાં આવેલા આ કદમની સાથે જ ભારતીય સેના પણ પોતાના સ્થાનો પર, જ્યાં આમને-સામનેની સ્થિતિ હતી, સૈનિકોની સંખ્યાને ઓછી કરવાની સાથે પાછળ હટી ગઇ છે.
પૈંગોંગ લેકના દક્ષિણી કિનારાથી ટેંક પણ હટાવી દેવાયા છે. સૂત્રોએ કહ્યું કે, દક્ષિણી તટ પર કેટલાક વિસ્તારોમાં બન્ને સેનાઓના ટેંકોની વચ્ચે માત્ર 100 મીટરની દૂરી રહી ગઇ હતી, હવે તેને બન્ને તરફથી સમગ્ર રીતે પરત ખેંચી લેવાયા છે અને હવે તે કેટલાક કિલોમીટર દૂર છે.
ડિસએંગેજમેન્ટ પ્લાનના અનુસાર, ચીન ફિંગર 8 સુધી જશે અને ભારત ધનસિંહ થાપા પોસ્ટ પાસે ફિંગર 3 પર જશે. આ સાથે જ પૈંગોંગ લેકના દક્ષિણી કિનારાથી પણ તૈનાતી પણ પરત લઇ લેવામાં આવશે. આ સિવાય બન્ને તરફથી કોઇ પણ પેટ્રોલિંગ ત્યાં સુધી નહીં કરવામાં આવે જ્યાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થઇ જાય.