US સ્પેસ કમાંડે એ વાતની પુષ્ટિ કરી છે કે ચીનનું બેકાબૂ બનેલું 5બી રોકેટ હિંદ મહાસાગરમાં મલેશિયાના બોર્નિયો દ્વિપની પાસ ક્યાંક પડ્યું છે. જો કે, તેનું પાક્કુ લોકેશન મળ્યુ નથી કે રોકેટનો કાટમાળ ક્યાં પડ્યો છે. ચીનની અંતરિક્ષ એજન્સીએ પણ એ વાત કહી છે કે, તેમનું રોકેટ પૃથ્વીના વાયુમંડળમાં ફરીથી પ્રવેશ કરી લીધું છે અને તેનો મોટા ભાગનો ભાગ નીચે પડવા દરમિયાન બળી ગયો હતો. અમેરિકી રક્ષા વિભાગના અધિકારીઓનું કહેવુ છે કે, એક ચીની બૂસ્ટર રોકેટે શનિવારે પૃથ્વી પર અણધારી રીતે વાપસી કરી છે. અમેરિકી સ્પેસ એજન્સી નાસાએ તેની જાણકારી શેર કરીને બેઈઝીંગને ફટકાર લગાવી છે.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર 24 જૂલાઈના રોજ ચીને પોતાના તિયાંગોંગ અંતરિક્ષ સ્ટેશન માટે એક લેબ મોડ્યૂલ લોન્ચ કરવા માટે લોંગ માર્ચ 5બી રોકેટનો ઉપયોગ કર્યો હતો. મોટાભાગના રોકેટ વિપરીત લોંગ માર્ચ 5 બી પોતાના મિશન બાદ પૃથ્વીની પરિક્રમા ત્યારે કરે છે, જ્યાં સુધી તે પૃથ્વી પર દુર્ઘટનાગ્રસ્ત ન થઈ જાય. તેને કાબૂમાં કરવાનો કોઈ રસ્તો નથી.
ગત અઠવાડીયે થયું હતું લોન્ચિંગ
ચીને ગત અઠવાડીયે જ હૈનાન સ્થિત વેનચાંગ લોન્ચ સાઈટ પરથી એક રોકેટ લોન્ચ કર્યું હતું. આ રોકેટ અને સૌર ઊર્જાથી ચાલનારી નવી લેબને લઈને રવાના થયું હતું. જેમાં વેનતિયાન એકસપેરિમેંટ મોડ્રયૂલ હતું. તેને ચીનના તિયાંગોન્ગ સ્પેસ સ્ટેશન સુધી જવાનું હતું. પણ ગત વર્ષે મેની માફક આ વખતે પણ ધરતી પર ક્રેશ થવાની આશંકા છે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના પ્રશાસક બિલ નેલ્સને ચીન પર બેજવાબદારીભર્યા વલણનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ચીન જવાબદારીના માપદંડોને માનતુ નથી અને અંતરિક્ષના કાટમાળને લઈને ખૂબ જ બેજવાબદાર છે. તેમણે કહ્યુ કે, રોકેટ ફરીથી ધરતીમાં પ્રવેશતા ખતરો ઓછો નથી કરતો અને ન તો ચીન અંતરિક્ષ કાર્યક્રમોને લઈને પારદર્શી છે.
લોન્ચિંગના સમયે બ્લાસ્ટ
ચીનનું આ રોકેટ લોન્ચિંગના સમયે જ બ્લાસ્ટ થઈ ગયું હતું. હવે આવનારા દિવસોમાં તે ધરતીના ચક્કર લગાવશે. તેના થોડા દિવસ બાદ તે ધરતી પર પાછુ આવશે. નિષ્ણાંતોનું માનીએ તો, ફ્લાઈટના રસ્તામાં ઘણી અડચળો આવી કારણ કે સૂરજની ગતિવિધિઓમાં ફેરફારના કારણે પર્યાવરણમાં પણ ઘણા ઉતાર ચડાવ જોવા મળ્યા. નિષ્ણાંતોનું માનીએ તો, ચીનના રોકેટ સાથે સૌથી મોટી સમસ્યા લોન્ચ પ્રક્રિયા અને તેની ડિઝાઈન છે. ચીને આ તમામ આરોપોને ફગાવી દીધા છે અને અંતરિક્ષના કાર્યક્રમને લઈને બેજવાબદાર છે. ચીની વિદેશ મંત્રાલય તરફથી કહેવાયુ છે કે,રોકેટના કારણે કોઈને પણ થનારા નુકસાનની શક્યતાઓ ખૂબ જ ઓછી છે.