દક્ષિણ એશિયા ખાત કરીને ભારતને અડીને બોર્ડર પર ચીન સતત આક્રમક વલણ અપનાવી રહ્યું છે. ત્યારે ચીનની ઘોષણા કરી છે કે તેઓ બહું જલ્દી જ તિબ્બતથી નિકળતી બ્રહ્મપુત્ર નદી અથવા યારલુંગ જાંગબો નદીના નીચલા પ્રવાહો પર ભારતીય સીમાની નજીક એક વિશાળકાય બંધ બનાવવા જઈ રહ્યું છે. આ બંધ એટલો મોટો હશે જેને અંદાજ એ વાતથી લગાવી શકાય છે તે ચીનમાં બનેલા બીજા દુનિયાના સૌથી મોટા બંધ થ્રી જોર્જની સરખામણીએ આ 3 ગણો મોટો પનવીજળી પેદા કરી શકશે. ચીનના આ વિશાળ આકારના બંધથી ભારતના પૂર્વોત્તર રાજ્યો અને બાંગ્લાદેશમાં સુખા દુષ્કાળની સ્થિતી પેદા કરવામાં સક્ષમ થઈ જશે.
આના માધ્યમથી પાર્ટી દીર્ઘકાલિક લક્ષ્ય મેળવવાનો વિચાર કરી ચૂકી છે
બ્રહ્મપુત્રને ભારતની પૂર્વોત્તર રાજ્યો અને બાંગ્લાદેશની જીવનદોરી
ભારતની ચિંતા યોગ્ય છે
ગ્લોબલ ટાઈમ્સે સંકેત આપ્યા છે કે આ બાંધ તિબ્બતના મેડોગ કાઉન્ટીમાં બનાવી શકાય છે જે ભારતના અરુણાચલ પ્રદેશની સીમાની બહું પાસે છે. ચીન પહેલા જ બ્રહ્મપુત્ર નદી પર અનેક નાના નાના બંધ બનાવી ચૂક્યું છે. જો કે નવા બંધનો આકાર મહાકાય થવા જઈ રહ્યો છે. નવો બંધ મોટો હશે. ચીનમાં બનેલા બીજા દુનિયાના સૌથી મોટા બંધ થ્રી જોર્જની સરખામણીએ આ 3 ગણો મોટો પનવીજળી પેદા કરી શકશે છે.
બ્રહ્મપુત્રને ભારતની પૂર્વોત્તર રાજ્યો અને બાંગ્લાદેશની જીવનદોરી
ઉલ્લેખનીય છે કે તિબ્બત સ્વાયત્ત વિસ્તારથી નીકળનારી બ્રહ્મપુત્ર નદી ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્યના માધ્યમથી દેશની સીમામાં પ્રવેશ કરે છે. અરુણાચલ પ્રદેશમાં આ નદીને સિયાંગ કહેવામાં આવે છે. આ બાદ અસમ પહોંચે છે ત્યારે તેને બ્રહ્મપુત્ર કહેવામાં આવે છે. અસમથીને બ્રહ્મપુત્ર બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. બ્રહ્મપુત્રને ભારતની પૂર્વોત્તર રાજ્યો અને બાંગ્લાદેશની જીવનદોરી માનવામાં આવે છે. અને લાખો લોકોના આજીવીકા તેના પર નિર્ભર છે.
આના માધ્યમથી પાર્ટી દીર્ઘકાલિક લક્ષ્ય મેળવવાનો વિચાર કરી ચૂકી છે
ગ્લોબલ ટાઈમ્સે રવિવારે કમ્યુનિસ્ટ યુથ લીગ ઓફ ચાઈનાની કેન્દ્રીય સમિતિને વી ચેટ અકાઉન્ટ પર નાંખવામાં આવેલા લેખનો હવાલો આપતા જાણકારી આપી છે. યાંગે કહ્યું કે સત્તારુઢ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના(સીપીસી) દેશની 14મી પંચવર્ષીય યોજના (2021-25) તૈયાર કરવાના પ્રસ્તાવમાં આ પરિયોજનાનો સમાવેશ કરવા અને 2035 સુધી આના માધ્યમથી દીર્ઘકાલિક લક્ષ્ય મેળવવાનો વિચાર કરી ચૂકી છે.
ભારતની ચિંતા યોગ્ય છે.
વિશેષજ્ઞોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય નદીઓના મામલામાં ચીને ભારત પર રણનીતિક બઢત મેળવી છે. લોવી ઈન્સ્ટીટ્યૂટના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે ચીને તિબ્બતના પાણી પર પોતાનો દાવો કર્યો છે. જેનાથી તે દક્ષિણ એશિયામાં વહેતી 7 નદીઓ સિંધુ, ગંગા, બ્રહ્મપુત્ર, ઈરાવડી, સલવીન, યાંગટ્જી અને મેકાંગના પાણીને નિયંત્રિત કરી રહ્યું છે. આ નદીઓ પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, લાઓસ અને વિયેતનામમાં થઈને પસાર થાય છે. જેમાંથી 48 ટકા પાણી ભારતથી પસાર થાય છે. મનાઈ રહ્યું છે કે આ નવા બંધને ચીને નેશનલ સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને બનાવ્યો છે. બંધથી 300 અરબ kWh વીજળી દર વર્ષે મળશે.