ચીનના જિયાંગ્સુ પ્રાંતના નાનજિંગમાં બુધવારે એરપોર્ટના 17 કર્મચારીઓમાં કોરોનાનું સંક્રમણ મળ્યું હતું. આ પછી શહેરના અનેક જિલ્લામાં વ્યાપક સ્તરે કોરોનાના સંક્રમણની તપાસ શરૂ કરાઈ છે.
એરપોર્ટ કર્મચારીઓ સંક્રમિત થતા કેન્સલ કરાઈ ફ્લાઈટ્સ
હવાઈ અડ્ડા કર્મીઓના સંક્રમિત થવાના કારણે મોટી સંખ્યામાં ફ્લાઈટ્સ કેન્સલ કરાઈ છે અને સાથે કેટલીક ફ્લાઈટના સમય પણ બદલાયા છે. મળતી માહિતિ અનુસાર નાનજિંગના લોકોઉ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કુલ 521 ફ્લાઈટ્સ કેન્સલ કરાઈ છે.
શું કહે છે અધિકારીઓ
અધિકારીઓ કહે છે કે શહેરના જિયાંગનિંગ જિલ્લામાં વધારે મોટા પ્રમાણમાં કોરોના સંક્રમણની તપાસ શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર 2019માં વુહાનમાં કોરોનાની શરૂઆત થયા બાદ ચીનમાં મંગળવાર સુધીમાં સંક્રમણના કુલ 92364 કેસ આવ્યા હતા. અહીં અત્યાર સુધીમાં કુલ 4636 સંક્રમિતોના મોત થયા છે.