ચીને ભારતના નવા પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) નિયમોની ટીકા કરી છે. ચીને સોમવારે કહ્યું કે આ વિશ્વ વ્યાપાર સંગઠન (WTO)ના સિદ્ધાંતો વિરુદ્ધ છે અને મુક્ત અને નિષ્પક્ષ વ્યાપારની વિરુદ્ધ છે. ચીને કહ્યું છે કે ભારત આમ કરીને ચીન સાથે ભેદભાવપૂર્ણ વલણ અપનાવી રહ્યું છે.
ચીને ભારતના નવા પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI) નિયમોની ટીકા કરી છે
ભારત આમ કરીને ચીન સાથે ભેદભાવપૂર્ણ વલણ અપનાવી રહ્યું છે: ચીન
એફડીઆઇ પર ચીને શું કહ્યું
દિલ્હી સ્થિત ચીનના દૂતાવાસના પ્રવક્તા જી રૉન્ગે એક નિવેદનમાં કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે ભારત આ ભેદભાવ વાળી નીતિ બદલશે અને અલગ-અલગ દેશોના રોકાણ સાથે એક સરખુ વર્તન રાખશે. તેઓએ કહ્યું કે ભારત તરફથી લગાવામાં આવેલી રોક WTOના નિયમોની વિરુદ્ધ છે અને જી-20ની આમ સમજૂતીની વિરુદ્ધ છે. કંપનીઓ ક્યાં રોકાણ કરે છે તે ત્યાંના બિઝનેસ માહોલ અને આર્થિક સ્થિતિ પર નિર્ભર કરે છે. કોરોના વાયરસ મહામારીથી ખરાબ બનેલા આર્થિક માહોલમાં દેશોએ સાથે મળીને કામ કરવું જોઇએ.
તેઓએ સોમવારે પોતાના ટ્વિટમાં લખ્યું, ચીની રોકાણ ભારતમાં ઉદ્યોગના વિકાસ અને રોજગાર સૃજનનું સમર્થન કરે છે. અમારી કંપનીઓએ કોરોના વાયરસની વિરુદ્ધ ભારતની લડાઇમાં સક્રિય રૂપથી મદદ કરી છે. અમે આશા રાખીએ છીએ કે ભારત આ ભેદભાવપૂર્ણ નીતિમાં બદલાવ કરશે અને મુક્ત, નિષ્પક્ષ અને ન્યાયસંગત વેપારી માહોલનો રસ્તો વિષ્તૃત બનાવશે.
ભારતીય કંપનીઓનું અધિગ્રહણ રોકવા નિયમમાં બદલાવ
કોરોના મહામારી દરમિયાન ચીની રોકાણ અને ભારતીય કંપનીઓના ટેકઓવરને રોકવા માટે સરકારે મોટુ પગલુ ઉઠાવતા ગત સપ્તાહે એફડીઆઇ નિયમોમાં મોટો બદલાવ કર્યો હતો. આ બદલાવની બાદ કોઇપણ વિદેશી કંપની કોઇ ભારતીય કંપનીનું અધિગ્રહણ વિલય નહીં કરી શકે.
ઉદ્યોગ અને આંતરિક વ્યાપર સંવર્ધન વિભાગ (DPIIT) એ જણાવ્યું, ભારતની સાથે જમીની સીમા શૅર કરનારા દેશોના એકમ હવે અહીં સરકારની મંજૂરી બાદ જ રોકાણ કરી શકશે. ભારતમાં થનાર કોઇપણ રોકાણના લાભાર્થી જો આ દેશોથી હશે અથવા આ દેશોના નાગરિક હશે, આવા રોકાણ માટે પણ સરકારની મંજૂરી લેવી પડશે.
અન્ય દેશોએ પણ કર્યો એફડીઆઇમાં બદલાવ
સરકારને લાગી રહ્યું છે કે ચીની કંપનીઓ ભારતીય કંપનીઓનું અધિગ્રહણ અથવા ખરીદીની ફિરાકમાં છે તેથી સરકારે આ પગલુ ઉઠાવ્યું છે. ચીની કંપનીઓના આ પ્રકારના પગલાથી રોકવા માટે ઘણા અન્ય દેશ પહેલા જ નિયમો કડક બનાવી ચૂક્યા છે. ઇટાલી, સ્પેન અને જર્મની એ પણ પોતાના એફડીઆઇ નિયમોમાં બદલાવ કર્યો છે.