લદ્દાખમાં ચાલી રહેલા તણાવની વચ્ચ ચીની મીડિયા ચોરી ઉપર સે સીનાજોરી પર ઉતરી આવી છે. અરુણાચલ પ્રદેશના ગાઢ જંગલમાં રસ્તો ભટકી ચીની વિસ્તારમાં ચાલ્યા ગયેલા 5 ભારતીયોને ચીન ભારતીય જાસૂસ કરાર કરી દીધા છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઈમ્સના સંપાદક હૂ શિજિને કહ્યું કે આ 5 લોકો ભારતીય ખાનગી સંગઠનના સભ્ય હતા અને પોતાની શિકારી ગણાવી રહ્યા હતા. તેમણે દાવો કર્યો છે કે ભારતીય નાગરિક જાસૂસી કરવા માટે શન્નાત પ્રાંતમાં ખૂસ્યા હતા.
ચીની મીડિયા ચોરી ઉપર સે સીનાજોરી પર ઉતરી આવી
ભારતીય નાગરિક જાસૂસી કરવા માટે શન્નાત પ્રાંતમાં ખૂસ્યા હતાનો આક્ષેપ
આ 5 લોકો ભારતીય ખાનગી સંગઠનના સભ્ય હતા-હૂ શિજિન
ગ્લોબલ ટાઈમ્સના સંપાદક હૂ શિજિને કહ્યું કે જ્યાં સુધી મને જાણકારી છે 5 ભારતીય જાસૂસી દળના સભ્ય શિકારીઓના ગુપ્ત વેશમાં હતા અને તે એક્ચ્યૂલ લાઈન ઓફ કન્ટ્રોલ રેખા પાર કરીને ચીનના તિબ્બતના શન્નાન પ્રીફેક્ચરમાં જાસૂસી કરવા ઘૂસ્યા હતા. તેમણે ચીની પક્ષે પોતાની પકડમાં લીધા છે. તેમને ચેતવણી આપવામાં આવી છે અને દંડ પણ આપવામાં આવ્યો છે. તેમને જલ્દી છોડી મુકવામાં આવશે.
આ આક્ષેપોની વચ્ચે ચીન દ્વારા ભારતીયોના અપહરણના મામલામાં સારા સમાચાર છે. એ છે કે આજે ચીનની સેના 5 ભારતીયોને ભારતને સોંપશે. સરહદ પાસેના ગામમાંથી ચીને યુવકોનું અપહરણ કર્યુ હતું . ચીન પર દબાણ થતા યુવકો પોતાની પાસે હોવાનુ સ્વીકાર્યુ હતુ. પાંચેય યુવકો શિકાર કરવા જંગલમાં ગયા હતા. પાંચેય યુવકોને ચીનની સેના ગશ્તી સેક્ટર સેરા-7થી લઇ ગયા હતા.