ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ (Xi Jinping)એ બિનઔપચારીક શિખર સમ્મેલન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) તરફથી આપવામાં આવેલા આ વર્ષના અંત સુધીમાં ભારત આવવાનું નિમંત્રણ સ્વીકાર્યું છે. વિદેશ મંત્રાલયે આ વાતની જાણકારી આપી છે. આપને જણાવીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિર્ગિસ્તાનમાં બિશ્કેકમાં SCO શિખર સમ્મેલનથી અલગ ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત લીધી હતી.
આ દરમિયાન એમણે કહ્યું કે ભારત અને ચીન મળીને ઘણા વિષયો પર આગળ વધી શકે છે. પીએમ મોદીએ શી જિનપિંગને કહ્યું કે ચૂંટણી પરિણામો પર જીત શુભકામના માટે આપનો આભારી છું. આપણા બંનેને કામ કરવા માટે સમાન કાર્યકાળ મળ્યો છે.
આપને જણાવીએ કે પીએમ મોદી લોકસભા ચૂંટણીમાં બીજી વાર જીત મેળવ્યા બાદ પહેલી બહુ પક્ષીય સમ્મેલનમાં ભાગ લેવા જઇ રહ્યા છે. મોદીએ બિશ્કેકની પોતાની બે દિવસીય યાત્રાથી પહેલા એક નિવેદનમાં કહ્યું હતું કે તેમની SCO શિખર સમ્મેલન ઉપરાંત રશિયાના રાષ્ટ્રપ્રમુખ પૂતિન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સહિત કેટલાય નેતાઓને મળવાની યોજના છે. પીએમ મોદીનું વિમાન, ઓમાન, ઇરાન અને ઘણા મધ્ય એશિયાઇ દેશોથી થતા કિર્ગિસ્તાનની રાજધાની પહોંચ્યું.
શિખર સમ્મેલનમાં જતા પહેલા નરેન્દ્ર મોદીએ કહ્યું કે કિર્ગિજ ગણરાજ્યમાં યોજાઇ રહેલા શાંઘાઇ સહયોગ સંગઠન (SCO) ની શિખર બેઠકમાં વૈશ્વિક સુરક્ષા સ્થિતિ અને આર્થિક સહયોગ પર મુખ્ય દબાવ રહેશે. એમણે કહ્યું કે આ મધ્ય એશિયાઇ દેશની તેમની યાત્રા એસસીઓના સભ્ય દેશોની સાથે ભારતના સંબંધોને મજબુત કરશે. આ પહેલા નરેન્દ્ર મોદીએ એક નિવેદનમાં કહ્યું હતું કે બિશ્કેકની 13-14 જૂનની પોતાની યાત્રા દરમિયાન તેમની યોજના કેટલાય નેતાઓને સાથે દ્વિપક્ષીય બેઠક કરવાનો છે.