ચીનના વુહાનમાં ચાની ચુસ્કી સાથે સંબંધને મજબૂત કરવાની વાતો કરી. પરંતુ નદીના પટ્ટ પર થયેલી વાતો જાણે પ્રવાહ સાથે વહી ગઈ.PM મોદી અને શી જિનપીંગની મુલાકાતના થોડા જ દિવસોમાં ચીને ફરી આગ ઓકવાનું શરૂ કરી દીધું છે.અરુણાચલ પ્રદેશ પર હંમેશની પોતાની ધાક જમાવવાના સ્વપ્ન જોઈ રહેલ ચીને હવે આ પ્રદેશમાં જ સરહદ નજીક ખનન શરૂ કર્યું છે અને શોધી રહ્યું છે સોનાના ભંડાર.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપીંગની મુલાકાતને હજૂ એક મહિનો પણ પુરો નથી થયો.ત્યાં અરુણાચલની સરહદ પર ચીની સેનાની હરકતો ફરી શરૂ થઈ ગઈ છે. ચીન અરુણાચલ પ્રદેશ સાથે જોડાયેલા પોતાના વિસ્તારમાં મોટા પાયે ખનન શરૂ કર્યું છે.જે વિસ્તારમાં સોનું ચાંદી અને અન્ય કિંમતી ખનીજનો વિપુલ ભંડાર મળી આવ્યો છે. જેની કિંમત અંદાજીત 60 અરબ ડોલર થાય છે.
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટ પ્રમાણે ભારતીય સીમા સાથે જોડાયેલા ચીનના લુંઝ કાઉન્ટીમાં ચીનનો માઈનીંગ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે.ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટ બતાવીને તેના પર પોતાનો દાવો કરી રહ્યું છે. તેવામાં સરહદ સાથે જોડાયેલા આ વિસ્તારમાં ચીનના આ પ્રોજેક્ટથી ડોકલામ બાદ ફરી એકવાર બંને દેશો તણાવની સ્થિતિ પેદા થઈ શકે છે.
રિપોર્ટમાં માઈનિંગ ઓપરેશનને ચીન દ્વારા અરુણાચલને પોતાના કબજામાં લેવાની તેની રણનીતિ પણ બતાવવામાં આવી છે. નિષ્ણાંતોના મતે માઈન્સ પેઈચિંગ ચીનના એક મહત્વકાંક્ષી પ્લાનનો હિસ્સો છે. જેના દ્વારા ચીન દક્ષિણ તિબેટ પર પોતાનો દાવો મજબૂત કરી શકે.
મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદીના ચીન પ્રવાસ બાદ એવું લાગી રહ્યું હતું કે બંને દેશના સંબંધોમાં સુધાર થશે અને સરહદ પરના તણાવનું નિવારણ આવશે.પરંતુ ડ્રેગન તેની હરકતથી બાઝ ન આવ્યું અમે ફરી ઓછી હરકત કરી નાંખી.