કોરોના વાયરસનાં કારણે ચીનમાં ભયનો માહોલ ફેલાયો છે. ચીનનાં હુબેઈમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો હતો. ત્યાંથી વિશ્વનાં 22 જટેલા દેશોમાં ફેલાયો છે. ત્યારે ચીને આ વાયરસની અડફેટે આખુ ચીન કે પછી સમગ્ર વિશ્વ ન આવી જાય તે માટે તેણે પોતાનાં આ પ્રાંતનું બલિદાન આપી ત્યાનાં લોકોને ત્યાં જ લોક ડાઉન કરી દીધા છે.
લગભગ 67 ટકા કેસ હુબેઈમાંથી નોંધાયા
કોરોનાથી મૃત્યુ પામનાર સૌથી વધુ લોકો હુબેઇના
વાયરસ ફેલાતો અટકાવવા ચીને નિર્ણય લીધો
ચીને પોતાના એક પ્રાંતનું આપ્યું બલિદાન
ચીનમાં દિન પ્રતિદિન કોરોનાનો કહેર વધી રહ્યો છે. ત્યારે દુનિયાને બચાવવા માટે ચીને એક પ્રાંતનું બલિદાન આપ્યું છે. હુબેઈમાં છ કરોડ લોકો વસવાટ કરે છે. છતાં ચીન સરકારે કોરોનાથી બચવા હુબેઈને પોતાની સ્થિતિ પર છોડી દીધો છે.
રાષ્ટ્રપતિ શી ચિનપિંગનો કડક આદેશ
રાષ્ટ્રપતિ શી ચિનપિંગને કડક શબ્દોમાં આદેશ કર્યો છે કે હુબેઈમાંથી કોઈ પણ વ્યક્તિ બહાર નહીં નીકળે. સમગ્ર દુનિયામાં આ વાયરસ ન ફેલાય તે માટે જિનપિંગ દ્વારા નિર્ણય લેવાયો છે. વુહાનનાં પૂર્વ ડેપ્યૂટી ડાયરેક્ટર જનરલ યાંગ ગાંગહુનને જણાવ્યું હતું કે, જો હુબેઈની ઘેરાબંધી ન કરાઈ હોત તો બિમાર લોકો સારવાર માટે કોઈ પણ સ્થળે જવા તૈયાર થઈ જાત. જેનાં કારણે સમગ્ર ચીન જીવલેણ વાયરસની ઝપેટમાં આવી ગયું હોત.
દુનિયાને બચાવવા ચીને આપ્યું બલિદાન
મીડિયામાં ચાલી રહેલી ચર્ચા અનુસાર કોરોનાનો પ્રથમ કેસ પણ હુબેઈમાં નોંધાયો હતો. હુબેઈમાં સૌથી વધુ કોરોનાના કેસ સામે આવ્યાં છે. ચીનમાં ફેલાયેલા વાઇસરના લગભગ 67 ટકા કેસ હુબેઈમાં નોંધાયા છે. એટલું જ નહીં કોરોનાથી મૃત્યુ પામનાર સૌથી વધુ લગભગ 97 ટકા લોકો પણ હુબેઇના છે. દર્દીઓની સંખ્યા એટલી છે કે હોસ્પિટલમાં પગ મુકવાની પણ જગ્યા નથી. જેથી ચીન સરકારે તેને એકલુ મુકી દીધુ છે. 6 કરોડ લોકો સામે ખતરો ઉભો છે.