ભારત અને ચીન વચ્ચે સરહદને લઇને વિવાદ વણસતો જઇ રહ્યો છે. બંન્ને રાષ્ટ્રોના સેના અધિકારીઓ અત્યાર સુધીમાં 5થી વધુ વખત બેઠક કરી ચુક્યા છે. આ ઘટના વચ્ચે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેના સૈનિકોને યુદ્ધની તૈયારી કરવાનું કહ્યું છે. CNNના રિપોર્ટ અનુસાર જિનપિંગે મિલેટ્રી બેઝની મુલાકાત પર કહ્યું હતું - 'તમારું મન અને શક્તિ યુદ્ધની તૈયારી પર કેન્દ્રિત કરો.'
લદ્દાખ અને ચીન સરહદ તણાવના વિવાદ વચ્ચે મહત્વના સમાચાર
ચીન રાષ્ટ્રપતિ જિનપિંગનો સૈનિકોને યુદ્ધ માટે તૈયાર રહેવા આપ્યા આદેશ
ચીનની Xinhua ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, જિનપિંગે મંગળવારે ગુઆંગડોંગના એક મિલિટ્રી બેઝની મુલાકાત લીધી હતી. ત્યારે તેમણે સૈનિકોને યુદ્ધની તૈયારીઓ પર ફોકસ કરવાની વાત કરી હતી. જિનપિંગે પોતાના સૈનિકોને હાઇ અલર્ટ રહેવાનું પણ જણાવ્યું છે.
જિનપિંગ પીપલ્સ લિબરેશન આર્મી મરીન કોર્પ્સનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા
જિનપિંગ પીપલ્સ લિબરેશન આર્મી મરીન કોર્પ્સનું નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા. ચીનના રાષ્ટ્રપતિએ સૈનિકોને વફાદાર, એકદમ 'શુદ્ધ' અને સંપૂર્ણ વિશ્વસનીય રહેવાની પણ અપીલ કરી.
ભારત સહિત અનેક રાષ્ટ્રોનો ચીન સાથે ચાલી રહ્યો છે વિવાદ
ચીનના રાજ્ય ગુઆંગડોંગમાં શી જિનપિંગના આગમનનો મુખ્ય હેતુ શેનઝેન વિશેષ આર્થિક ક્ષેત્રની 40 મી વર્ષગાંઠ પ્રસંગે તેમના ભાષણનો કાર્યક્રમ હતો. આપને જાણાવી દઇએ કે, આ સમયે ચીનનાં ભારત, અમેરિકા અને તાઇવાન સાથેના સંબંધો ઘણા તંગ છે.
અમેરિકાએ તાઇવાનને કોઈપણ શસ્ત્ર વેચવાની ડીલ રદ્દ કરવા જણાવ્યું
સોમવારે જ અમેરિકા એ જાહેરાત કરી હતી કે તે તાઇવાનને ત્રણ અદ્યતન શસ્ત્ર પ્રણાલી પ્રદાન કરશે. આ નિર્ણયથી ચીનને બળતણ કરવામાં આવ્યું કારણ કે તે તાઇવાનને તેનો ભાગ માને છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે અમેરિકાએ તાઇવાનને કોઈપણ શસ્ત્ર વેચવાની ડીલ તાત્કાલિક રદ કરવી જોઈએ.