કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ચેતવણી છે કે ચીન અને પાકિસ્તાન સાથે મળીને કામ કરી રહ્યાં છે અને જો યુદ્ધ થયું તો ભારતને ઘણું મોટું નુકશાન થશે.
રાહુલ ગાંધીએ ફરી આપી ચેતવણી
ચીન અને પાકિસ્તાન સાથે મળીને કરી રહ્યાં છે તૈયારી
યુદ્ધના કિસ્સામાં ભારતે થશે ન ભરપાઈ શકાય તેટલું નુકશાન
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ચીન અને પાકિસ્તાન એક સાથે આવી ગયા છે. તેમણે કહ્યું કે ચીન અને પાકિસ્તાન સાથે મળીને તૈયારી કરી રહ્યા છે અને જો યુદ્ધ થશે ભારતને મોટું નુકશાન વેઠવાનો વારો આવશે. યૂટ્યૂબ પર જાહેર થયેલા વીડિયોમાં રાહુલ ભારત જોડો યાત્રા દરમિયાન સશસ્ત્ર દળોના દિગ્ગજો સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. ચીન અને પાકિસ્તાન એક થઈ ગયા છે. જો યુદ્ધ થાય, તો તે એક નહીં હોય, તે બંને સાથે હશે. આવી સ્થિતિમાં, દેશ માટે મોટું નુકસાન થવાનું છે. ભારત અત્યારે ખૂબ જ નબળી સ્થિતિમાં છે.
સેના માને ખૂબ માન અને પ્યાર- રાહુલ
રાહુલ ગાંધીએ કહ્યું કે મને તમારા (સેના) માટે માત્ર આદર જ નહીં, પણ પ્રેમ પણ છે. તમે આ દેશની રક્ષા કરી છે. જો તે તમે ન હોત, તો દેશનું અસ્તિત્વ જ ન હોત.
ચીને લદ્દાખમાં ભારતની 2,000 ચોરસ કિલોમીટર જમીન છીનવી
રાહુલ ગાંધીએ કહ્યું કે આપણા ભારતની સરહદ આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલી છે. સરહદની સ્થિતિ બદલાઈ રહી છે. "સત્ય એ છે કે ચીને લદ્દાખમાં ભારતની 2,000 ચોરસ કિલોમીટર જમીન છીનવી લીધી છે. તેઓ દેશની સીમાઓની અંદર બેઠા છે. ચીન હજી પણ આપણી સરહદોની અંદર, આપણી જમીન પર બેઠું છે.
આજે આપણા ત્રણ દુશ્મન થયા
રાહુલે કહ્યું કે પહેલાં આપણા બે દુશ્મનો હતા એક પાકિસ્તાન અને બીજું ચીન. આવી સ્થિતિમાં, આપણી નીતિ તેમને અલગ રાખવાની હતી. પૂર્વ પીએમ રાજીવ ગાંધીનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, "વિદેશ નીતિ પાછળનો વિચાર પણ રાજીવ ગાંધી ત્યાં ગયા ત્યારે એક જ હતો, તેમનો પ્રયાસ પણ હતો કે આ બંને ભેગા ન થાય." પહેલાં લોકો કહેતા હતા કે 'બે મોરચાનું યુદ્ધ' ન થવું જોઈએ. આ પછી, લોકોએ કહ્યું કે'અઢી-અઢી ફ્રન્ટ વોર' છે, જેનો અર્થ ચીન, પાકિસ્તાન અને આતંકવાદ છે. આજે માત્ર એક જ મોરચો છે.
વહેલા પગલાં નહીં ભરીએ તો દેશને મોટું નુકશાન
રાહુલ ગાંધીએ કહ્યું કે ચીન અને પાકિસ્તાન માત્ર સૈન્યમાં જ નહીં પરંતુ આર્થિક ક્ષેત્રે પણ સાથે મળીને કામ કરી રહ્યા છે. "ત્યાં બેલ્ટ એન્ડ રોડ છે, ગ્વાદર છે... જે ચીન માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. ચીનની આર્થિક વ્યવસ્થા ટેકનિકલ સ્તરે ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. સાથે જ આપણી આર્થિક વ્યવસ્થા 2014થી ઘટી રહી છે. આપણા દેશની અંદર અશાંતિ, લડાઈ, ભ્રમ અને નફરત છે. જો આપણે વહેલી તકે પગલાં નહીં ભરીએ તો દેશને મોટું નુકસાન થવાનું છે.