યુરોપીયન સાંસદોના કાશ્મીર પ્રવાસને લઇને વિપક્ષોએ વિરોધ વ્યક્ત કર્યો છે. તેના જવાબમાં વિદેશ મંત્રાલયે પોતાનું નિવેદન જાહેર કર્યું હતું. વિદેશ મંત્રાલયે ગુરૂવારે જણાવ્યું હતું કે, આ MEA (વિદેશ મંત્રાલય)નો અધિકાર છે કે, સિવિલ સોસાયટીના લોકોને તે આમંત્રિત કરે.
ચીને જમ્મુ કાશ્મીરના ભાગલાને ગણાવ્યા ગેરકાનુની
ભારતે ચીનને આપ્યો સણસણતો જવાબ
ભારતના અંગત મુદ્દાઓ પર કોઇ દેશ નિવેદન આપવાથી રહે દૂર
ઘણી વખત લોકો પોતાની અંગત યાત્રા પર પણ આવતા હોય છે. કેટલીક વખત રાષ્ટ્રીય હિતમાં અમે તેમને સત્તાવાર રીતે જોડીએ છીએ, ભલે પછી તેઓ પોતાની ખાનગી યાત્રા પર આવેલા હોય.
Raveesh Kumar, MEA: In the case of visit of Members of European Parliament (MEPs) to India, it was brought to attention of govt that this delegation is going to visit India. MEPs who visited India had expressed a keen desire to know about India,it was like a familiarization visit pic.twitter.com/OrXwdOMmcY
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે વધુમાં જણાવ્યું હતું કે, MEP (યુરોપીય સાંસદ)એ ભારતને જાણવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જ્યારે તેમણે અલગ-અલગ માધ્યમોથી સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો, તેમાં વિભિન્ન વિચારધારાના લોકો હતા તેમને કાશ્મીર જવામાં સપોર્ટ કરવામાં આવ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના ભાગલા ગેરકાયદેસર અને નિરર્થક : ચીન
Raveesh Kumar, MEA on China's statement on establishment of UTs of J-K, & Ladakh: China is well aware of India's consistent & clear position on this issue. The matter of reorganization of erstwhile state of J&K into UTs of J&K and Ladakh is entirely an internal affair of India. pic.twitter.com/OQXXTiEoIs
નોંધનીય છે કે, ચીને ગુરુવારના રોજ જમ્મુ-કાશ્મીરના 2 સંઘ શાસિત પ્રદેશમાં ભાગલાને 'ગેરકાયદેસર અને નિરર્થક' ગણાવ્યા હતા અને તેના પર ચિંતા વ્યક્ત કરી હતી. ચીને કહ્યું કે, ભારત દ્વારા ચીનના કેટલાક ભાગને વ્યવસ્થાના અધિકારના ક્ષેત્રમાં સામેલ કરવા બેઇઝીંગની સંપ્રભુતા માટે એક પડકાર સમાન છે.
ચીનના નિવેદન પણ ભારતનો સણસણતો જવાબ
Raveesh Kumar, MEA: Statement has just come out. We can't quickly react to it&how India is going to formulate its strategy...India-Pak have been in touch following the ICJ judgement,communication happening via diplomatic channels. If there's any update which we can share,I'll do. https://t.co/MAPIVh5thrpic.twitter.com/qYdBFipB9g
તેના પર ભારતે જવાબ આપતા કહ્યું કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન હિસ્સો છે જેના વિશે કોઇપણ દેશે ટિપ્પણી કરવાથી દૂર રહેવું જોઇએ. અમે ચીન સહિત અન્ય દેશો પાસેથી ભારતના આંતરિક મામલા પર ટિપ્પણીની આશા રાખતા નથી. જેવી રીતે ભારત અન્ય રાષ્ટ્રોના મામલે ટિપ્પણી કરવાથી દૂર રહે છે.
Raveesh Kumar, Ministry of External Affairs: We do not expect other countries, including China to comment on the matters which are internal to India, just as India refrains from commenting on internal issues of other countries. UTs of J-K, & Ladakh are integral part of India. https://t.co/SvOmw2bcGa
કરતારપુર સાહિબ મામલામાં વિદેશ મંત્રાલયે કહ્યું કે, યાત્રા માટે સમજૂતી થઈ છે. તે પછી ટૂંક સમયમાં ગૃહ મંત્રાલયે પ્રથમ જથ્થાની સૂચિ પાકિસ્તાન સાથે શેર કરી છે. તેના વિશે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. આ અંગે સંભવત: પ્રક્રિયા ચાલુ છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ઉદ્ઘાટનની તૈયારી ચાલી રહી છે. અમે આ સંદર્ભે અંતિમ નિર્ણય પછી શેર કરીશું. કરતારપુર સાહિબ જતા નેતાઓ અંગે મંત્રાલયે કહ્યું કે, પ્રથમ બેચમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના નેતાઓના નામ છે.