અમીર અને ગરીબો વચ્ચે પડી રહેલી મોટી ખાઈ તેમજ વધતી બેરોજગારીને કારણે શી જિનપિંગ નાણાંનું પુન:વિતરણ કરવાની ફિરાકમાં
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનો મોટો વિચાર
નાણાંનું પુન:વિતરણ કરવાની વ્યવસ્થા બનવી જરૂરી :શી જિનપિંગ
અમીર-ગરીબ વચ્ચે મોટો તફાવત, સામાન્ય કરવો જરૂરી :શી જિનપિંગ
ચીનમાં હવે અમીરોની સંપત્તિ ગરીબોમાં વહેંચવામાં આવશે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે આ મહત્વનો નિર્ણય લીધો છે. આનાથી દેશના સમૃદ્ધ લોકો અને ઉદ્યોગપતિઓ પર સમાજમાં વધુ પરત ફરવાનું દબાણ વધ્યું છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે મંગળવારે શાસક ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીના ટોચના નેતાઓને કહ્યું કે સરકારે સામાજિક ન્યાય માટે નાણાંનું પુન:વિતરણ કરવાની વ્યવસ્થા બનાવવી જોઈએ. તેમને આ દરમિયાન કહ્યું હતું કે ખૂબ જ ઊચી આવક ધરાવતા લોકોને સાચી રીતે નિયંત્રિત કરવા જરૂરી છે. અમીર લોકોને અને બિઝનેસમેન માણસોએ સમાજને વધુ પાછું આપવા પ્રોત્સાહિત કરવા જરૂરી છે. જો કે અત્યાર સુધી એ ખબર નથી પડી કે આ લક્ષ્યને કઈ રીતે સધાશે. પરંતુ માનવામાં આવી રહ્યું છે કે સરકાર ટેક્સ અને અન્ય વિકલ્પો દ્વારા નાણાનું પુન:વિતરણ થઈ શકે છે.
સત્તામાં રહેવા આ કરવું જરૂરી છે
શી જીન પિંગે પક્ષની સત્તા જાળવી રાખવા માટે ચીની લોકોમાં સહિયારી સમૃદ્ધિની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. તેમને 2049માં દેશના ગઠન માટે મનાવવામાં આવી રહેલી 100મી વર્ષ ગાંઠે, દેશને સંપૂર્ણ પણે વિકસિત સમૃદ્ધ અને શક્તિશાળી રાષ્ટ્રમાં પરિવર્તિત થવાનો સંકલ્પ કર્યો, શી જિનપિંગએ પાર્ટીની આર્થિક બેઠકમાં ભાગ લેતા કહ્યું હતું કે સામાન્ય લોકોની સમૃદ્ધિ આમાં જ સમાયેલી છે. નોંધપાત્ર છે કે ચીનમાં આર્થીક બેઠક, નીતિ નિધારીત કરવા દરેક મહિને આયોજન થતી હોય છે.
અમીર-ગરીબ વચ્ચે બની રહેલી મોટી ખાઈ
ચીન એક ગરીબ દેશમાંથી દુનિયાની બીજી મોટી અર્થવ્યવસ્થા છે. વ્યાપાર અને ઉદ્યોગોમાં સૌથી મોટી તાકતોને કારણે ચીન બદલી ગયું છે. પણ આ બધાની વચ્ચે અમીર અને ગરીબ વચ્ચે ખાઈ મોટા પાયે વધી રહી છે. 2019માં પહેલી વખત અમીરોની સંખ્યા અમેરિકાના અમીરોની સંખ્યા કરતાં પણ વધુ થઈ ગઈ છે. આ જ બાબત રાષ્ટ્રપતિ શી જિનપિંગને પરેશાન કરી રહી છે. શીએ મંગળવારે સ્વીકાર્યું હતું કે પાર્ટીએ 1970 ના દાયકામાં આર્થિક સુધારા બાદ કેટલાક લોકોને સમૃદ્ધ બનાવવામાં મદદ કરી હતી. પરંતુ 2012થી સત્તા પર રહેલા શીએ તમામ લોકોની સામાન્ય સમૃદ્ધિને મહત્વ આપવાનું શરૂ કર્યું છે.
મોટી કંપનીઓ પર તવાઈ થશે?
નાણાંના પુન:વિતરણ અંગે શીનો અભિગમ અર્થતંત્ર માટે તેમની સરકારના વ્યાપક લક્ષ્યો સાથે જોડાયેલો છે. તાજેતરના મહિનાઓમાં, દેશે નાણાકીય જોખમ ઘટાડવા, અર્થતંત્રનું રક્ષણ કરવા અને ભ્રષ્ટાચાર દૂર કરવાના નામે ટેકનોલોજી, નાણાં, શિક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં અભૂતપૂર્વ કાર્યવાહી શરૂ કરી છે. જો કે, ખાનગી સાહસો પરના કડાકાથી વૈશ્વિક રોકાણકારોને આંચકો લાગ્યો છે. આનાથી ચીનના અર્થતંત્રમાં નવીનતા અને વિકાસની સંભાવનાઓ અંગે આશંકાઓ ઉભી થઈ છે.
બેરોજગારી દર સૌથી ખરાબ સ્તર પર પહોંચ્યો
ચીનની અર્થવ્યવસ્થા હાલ કમજોર પડી રહી છે. સોમવરે જારી કરવામાં આવેલા આકડામાં સંકેત મળી રહ્યા છે કે દેશની રિકવરી ધીમી ગતિએ થઈ રહી છે. ત્યાં જ યુવાનોમાં બેરોજગારીનો આંકડો એક વર્ષમાં સૌથી ખરાબ સ્તરે પહોંચ્યો છે.