ભારતીય સેનાએ સોમવારે જણાવ્યું હતું કે ભારતીય અને ચીની સૈનિકોની તવાંગ સેક્ટરમાં LACની નજીક એક સ્થાન પર 9 ડિસેમ્બરનાં રોજ ક્લેશ થયો જેનામાં બંને દેશોનાં કેટલાક સૈનિકો સાધારણ ધોરણે ઘાયલ થયાં હતાં. આ મામલે ચીને ટિપ્પણી કરી છે. અને ભારત પર આરોપો મૂક્યાં છે.
LAC નજીક બંને દેશોનાં સૈનિકો વચ્ચે અથડામણ
ચીન PLAનાં પ્રવક્તાએ લગાવ્યો ભારત પર આરોપ
ભારતીય રક્ષામંત્રીએ સંસદમાં આપી માહિતી
અરૂણાચલ પ્રદેશનાં તવાંગ સેક્ટરમાં ભારતીય સેનાનાં જવાનોની સાથે થયેલ અથડામણમાં ચીન ભારત પર આંગળી ચીંધી રહ્યું છે. મંગળવારે ચીની સેનાએ આ સમગ્ર ઘટનાક્રમની પાછળ ભારતીય સેનાને જવાબદાર ગણાવ્યું છે. ચીની સેનાએ કહ્યું કે ભારતીય સૈનિકોએ ગેરકાયેદેસર હિમાલયમાં એક વિવાદિત સીમા પાર કરી અને ચીની સૈનિકોની સામે વિવાદ ઊભો કર્યો .
PLAનાં પ્રવક્તાએ લગાવ્યો આરોપ
સૂત્રો અનુસાર પીપલ્સ લિબરેશન આર્મી PLA નાં એક પ્રવક્તાએ કહ્યું કે ભારતીય સેનાનાં જવાનોએ ગેરકાયગદેસર ધોરણે વાસ્તવિક નિયંત્રણ રેખા LACને પાર કરી છે. અમારો પ્રતિભાવ પ્રમાણભૂત અને બળવાન હતો જેના લીધે સમગ્ર મામલો સ્થિર થયો હતો.
ચીની વિદેશ મંત્રાલયે સ્થિતિની આપી હતી જાણકારી
ચીની વિદેશ મંત્રાલયે પણ એક લાઇનમાં નિવેદન આપતાં કહ્યું હતું કે LAC પર સ્થિતિ સ્થિર અને નિયંત્રિત છે. ચીની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા વોંગ વેનબિને કહ્યું કે બંને પક્ષોએ રાજકીય અને સૈન્ય ચેનલોનાં માઘ્યમથી સીમા સંબંધિત મુદાઓ પર સુગમ સંચાર જાળવી રાખ્યો છે. વોંગે યાંગ્ત્સી ક્ષેત્રમાં ભારતીય અને ચીની સૈનિકોની વચ્ચે 9 ડિસેમ્બરનાં થયેલ ઘર્ષણનું વિવરણ દેવાથી ઇનકાર કર્યો હતો.
અથડામણમાં કોઇનું મોત નહીં, માત્ર થોડી ઇજા
રક્ષામંત્રીએ જણાવ્યું કે આ અથડામણમાં કોઇપણ સૈનિકનું મૃત્યુ થયું નથી અને ન કોઇ ગંભીરરૂપે ઇજાગ્રસ્ત છે. તેમણે જણાવ્યું કે આ મુદાને ચીની પક્ષે કૂટનીતિક સ્તર પર લીધેલ છે. તેમણે કહ્યું કે હું આ સદનને જણાવવા માંગુ છું કે આપણાં કોઇપણ સૈનિકનું મૃત્યુ થયું નથી અને કોઇપણ ગંભીરરૂપે ઘાયણ પણ થયાં નથી.