ચીની વૈજ્ઞાનિકોએ તેની એક વિશેષતા પણ જણાવી છે કે ગંભીર કુદરતી આફત દરમિયાન પણ તે વિસ્તારમાં ક્યારેય અંધારપટ નહીં થાય. આ નકલી ચંદ્ર પૂર, ભૂકંપની સ્થિતિમાં પણ પ્રકાશ આપતો રહેશે.
ચીની વૈજ્ઞાનિકોએ બનાવ્યો નકલી ચંદ્ર
પૂર, ભૂકંપની સ્થિતિમાં પણ આપશે પ્રકાશ
જાણો શું છે તેની વિશેષતાઓ
ચીને રિયલ ચંદ્રની જેમ જ કૃત્રિમ ચંદ્ર બનાવ્યો છે. જે રિયલ ચંદ્ર જેવો પ્રકાશ પણ આપે છે. હવે આ ચંદ્ર વીજળી બિલ બચાવશે અને આ દેશ દર વર્ષે 17.3 કરોડ ડોલરની બચત કરશે. આ ચંદ્ર કેવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે આવો જાણીએ.
ઝીરો ગ્રેવિટી વાળો છે આ ચંદ્ર
ચીને આ કૃત્રિમ ચંદ્ર તૈયાર કર્યો છે ચીને. ચીન વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં સતત મોટી સિદ્ધિઓ હાંસલ કરી રહ્યું છે. ચીનનું કહેવું છે કે 50 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં નકલી ચંદ્રથી થતા પ્રકાશથી વીજળીના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થશે. આ ચંદ્ર ઝીરો ગ્રેવિટી વાળો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ચીનના વૈજ્ઞાનિકોએ આ નકલી ચંદ્ર પર ચુંબકીય શક્તિનું પરીક્ષણ કર્યું હતું. તેને બનાવવા પાછળ ઘણા હેતુઓ છે.
ચંદ્ર જેવી સપાટી પણ તૈયાર કરવામાં આવી રહી છે
ચાઇના યુનિવર્સિટી ઓફ માઇનિંગ એન્ડ ટેક્નોલોજીના જીઓટેકનિકલ એન્જિનિયર્સનું કહેવું છે કે 2022ના અંત સુધીમાં તેઓ અત્યંત શક્તિશાળી ચુંબકીય બળ સાથે વેક્યૂમ ચેમ્બર બનાવશે. આ વેક્યુમ ચેમ્બરનો વ્યાસ 2 ફૂટ હશે. આ ઝીરો ગ્રેવિટી ચેમ્બર પત્થરો અને ધૂળથી ભરેલો હશે જેમ તે ચંદ્રની સપાટી પર છે. પૃથ્વી પર પ્રથમ વખત ચંદ્રની આવી સપાટી બનાવવામાં આવશે.
આ કારણે બનાવવામાં આવ્યો નકલી ચંદ્ર
ચીન આનો એક નાનકડો સફળ પ્રયોગ કરી ચૂક્યું છે. હવે તેનો લાંબો પ્રયોગ કરવામાં આવશે. આ પછી આ પ્રયોગને ચંદ્ર પર મોકલવામાં આવશે. ચંદ્ર પર માનવ વસાહત બનાવવાના નવા રસ્તાઓ શોધવા માટે ચીને આ પ્રયોગ શરૂ કર્યો છે.
તેમનું કહેવું છે કે ચંદ્રમાં પૃથ્વી કરતાં 6 ગણું ઓછું ગુરુત્વાકર્ષણ છે. તેથી જ લોકો સપાટી પર ચાલી શકતા નથી. એવામાં ત્યાં વસવાસ સંભવ નથી. જણાવી ગઈએ કે વર્ષ 2029 સુધી ચીન ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર એક મનુષ્યનું રિસર્ચ સેન્ટર બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે.