નવી દિલ્હીઃ ચીનના રાષ્ટ્રપતિ જિંનપીંગે ફરી એકવાર કટ્ટર રાષ્ટ્રવાદને રાગ આલાપ્યો છે. ભારતને આડકતરી ચેતવણી આપતા જિંનપીંગે કહ્યું છે કે ચીન પોતાના દુશ્મનો સામે ખુની જંગ લડવા તૈયાર છે. અને ચીનની એક ઈંચ પણ જમીન કોઇને નહીં આપીએ.
જિંનપીંગે પોતાના સંબોધનમાં કહ્યું છે ચીનના લોકો અદમ્ય સાહસ અને જીદી હોય છે. આપણે આપણા દુશ્મનો સામે લોહીયાળ જંગ લડવા માટે તૈયાર છીએ. જો કે જિંનપીંગે દુશ્મનોના નામ પર કોઈ ફોડ પાડયો ન હતો.
મહત્વનું છે કે જિનપીંગે આ નિવેદન સંસદ સત્રના સમાપન સત્રમાં આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે ભારત અને ચીન વચ્ચે લાંબા સમયથી સરહદ વિવાદ ચાલી રહ્યો છે.