ચીને અમેરિકાના એ નિવેદન પર એકવાર ફરી ચેતાવણી આપી, જેમાં અમેરિકાએ કોઇપણ પ્રકારે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાની ધમકી આપી હતી. ચીને જણાવ્યું છે કે વોશિંગટનનું આ પગલું આ મુદ્દાને જટિલ બનાવ્યું રહ્યું છે અને દક્ષિણ એશિયામાં શાંતિ તેમજ સ્થિરતા માટે અનુકૂળ નથી.
ચીને ફરી બુધવારના રોજ પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મહોમ્મદના વડા મસૂદ અઝહરને બચાવવાની કવાયત શરૂ કરી દીધી છે. ચીને અમેરિકાના એ નિવેદન પર એકવાર ફરી ચેતાવણી આપી, જેમાં અમેરિકાએ કોઇપણ પ્રકારે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાની ધમકી આપી હતી. ચીને જણાવ્યું છે કે વોશિંગટનનું આ પગલું આ મુદ્દાને જટિલ બનાવ્યું રહ્યું છે અને દક્ષિણ એશિયામાં શાંતિ તેમજ સ્થિરતા માટે અનુકૂળ નથી.
ઉલ્લેખનીય છે કે ગત મહિને ચીન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ફ્રાંસ, બ્રિટેન અને અમેરિકા તેમજ રશિયા તરફથી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રસ્તાવને રોકયા બાદ 27 માર્ચના રોજ અમેરિકાએ 15 દેશની સુરક્ષા પરિષદમાં અઝહર પર પ્રતિબંધ સાથે જોડાયેલ પ્રસ્તાવ રજૂ કર્યો. આ પ્રસ્તાવમાં મસૂદ અઝહરને બ્લેક લીસ્ટમાં નાંખી તેની યાત્રા પર પ્રતિબંધ લગાવવા તેમજ તેની સંપત્તિ જપ્ત કરી હથિયારો પર પ્રતિબંધ લગાવાનો પ્રસ્તાવ હતો. જેનો પ્રારંભમાં ચીને વિરોધ કર્યો, પરંતુ ત્યારબાદ થોડું નરમ પડ્યું.
જો કે ગઇકાલે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું કે ચીન આ મુદ્દાને સાચી રીતે હલ કરવા માટે તર્કપૂર્ણ અને યોગ્ય વલણ અપનાવશે. ઉલ્લેખનીય છે કે જૈશ-એ-મહોમ્મદ ઉપર પુલવામામાં કરાયેલા આત્મઘાતી હુમલામાં 40 સીઆરપીએફ જવાનની હત્યા સહિત ભારતીય સંસદ પર હુમલાને લઇને અંદાજે ડઝન કરતા વધુ જધન્ય અપરાધ ભારતમાં કર્યા છે. તેમ છતાં પાકિસ્તાનમાં પોતાના અંગત હિતને ધ્યાનમાં રાખી ચીન સતત મસૂદ અઝહરને બચાવી રહ્યું છે.