સંસદમાં હાલ મોનસૂન સત્ર ચાલી રહ્યું છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભા પછી ગુરુવારના રોજ ભારત-ચીન સરહદ પર ચાલી રહેલા વિવાદને લઇને ઉપરી સદનમાં નિવેદન આપ્યું. રાજનાથ સિંહે કહ્યું કે ચીન વાસ્તવિક નિયંત્રણ રેખાને માનતું નથી અને તેમને યથાસ્થિતિને બદલવાનો પ્રયત્ન કર્યો. રાજનાથસિંહે કહ્યું કે ચીન બંને દેશ વચ્ચે થયેલી સમજૂતીને અનદેખી કરી રહ્યું છે.
Conduct of our armed forces throughout these incidents shows that while they maintained 'Sayyam' in face of provocative actions, they also equally displayed 'Shaurya' when required to protect territorial integrity of India: Defence Minister in Rajya Sabha on India-China face-off pic.twitter.com/BdWVgx6to4
રાજનાથસિંહે કહ્યું કે આપણા સૈનિકોએ ચીનની ગતિવિધિઓ સામે 'સયંમ' બનાવી રાખ્યો અને ભારતીય ક્ષેત્રીય અખંડતાની રક્ષા માટે આવશ્યક રીતે 'શોર્ય'નું પ્રદર્શન પણ કર્યું. રાજનાથ સિંહે કહ્યું કે ચીન દ્વારા સૈનિકોનો જમાવડો કરવાનું 1993 અને 1996માં થયેલી સમજૂતિ વિરુદ્ધનું છે.
While our armed forces abide scrupulously by it, this has not been reciprocated by the Chinese side: Defence Minister Rajnath Singh in Rajya Sabha on India & China border issue https://t.co/ba0c9btOrb
આ સાથે રક્ષા મંત્રી રાજનાથસિંહે સ્પષ્ટ કરી દીધુ કે ભારત કોઇપણ પરિસ્થિથિને પહોંચી વળવા માટે સજ્જ છે. કોઇપણ સ્થિતિમાં દેશનું શીશ ઝુકવા નહીં દઇએ.
શાંતિ સ્થાપવા માટે ઘણી સમજૂતિ કરવામાં આવી
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે શાંતિ સ્થાપવા માટે ઘણા પ્રકારની સમજૂતિ કરવામાં આવી. ચીન ઔપચારિક સરહદને માનતું નથી. તેના કહેવામાં અને કરવામાં ઘણો ફરક છે. આપણા જવાનોએ ચીનની ભારે નુકસાન પહોંચાડ્યું છે.