કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે. વાયરસના કારણે અત્યાર સુધી હજારો લોકો પોતાના જીવ ગુમાવી દીધા છે તથા લાખો લોકો હજુ સંક્રમિત છે. એવામાં કોરોના વાયરસ પર હજુ ઘણા બધા સવાલ રહસ્યમય બનેલાં છે. કોરોના વાયરસ ચીનમાં કઈ રીતે ફેલાઈ ? આ વાયરસનો જન્મ ક્યાં થયો ? આ બધા સળગતા સવાલો હજુ ઉભા છે ત્યાં ચીને કોરોના વાયરસના ઓરીજીનના શોધના પ્રકાશન પર જ રોક લગાવી દીધી છે.
કોરોના ઉદ્ભવસ્થાન પર અમેરિકા-ચીનમાં જંગ
ચીનમાં કોરોના ઓરીજીનને લગતા સંશોધનને પ્રકાશિત કર્યા પહેલાં સરકારની લેવી પડશે મંજૂરી
લાંબી પ્રક્રિયા બાદ જ પ્રકાશિત થશે સંશોધન
એકેડેમિક સંશોધનના પ્રકાશન પર ચીનનો પ્રતિબંધ
કોરોના વાયરસના કારણે અમેરિકા અને ચીન આમને સામને છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના વાયરસને પણ ચાઇનીઝ વાયરસ કહી સંબોધિત કરે છે. જયારે કોરોના વાયરસને લઇ ચીન તરફથી દાવા કરવામાં આવે છે કે આ વાયરસનું મૂળ અમેરિકામાં છે. જે બાદ હવે દુનિયા ચીનને શંકાની નજરે જોઈ રહી છે. જે બાદ નોવેલ કોરોના વાયરસનાં ઓરીજીનથી જોડાયેલા એકેડેમિક સંશોધનના પ્રકાશન પર ચીન દ્વારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
સરકારી અધિકારી આપશે મંજૂરી
નવી નીતિ હેઠળ કોરોના વાયરસથી જોડાયેલા એકેડેમિક પેપરનું પુનર્નિરીક્ષણ કરવામાં આવશે. તે બાદ તેને પ્રકાશનની મંજૂરી આપવામાં આવશે. વાયરસથી જોડાયેલા જે કંઈ પણ સંશોધન હશે તેના પર સરકારના અધિકારી તપાસ કરશે અને તે અધિકારી મંજૂરી આપશે પછી જ તેને પ્રકશિત કરી શકાશે.
શું છે પ્રક્રિયા ?
શિક્ષણ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલ નિર્દેશ અનુસાર કોરોના વાયરસના ઉદ્ભવસ્થાનને લઇને જે પણ પેપર તૈયાર કરવામાં આવશે તેને પબ્લીશ કરવા પહેલાં કેટલાય સ્તરની મંજૂરી લેવી પડશે. સૌથી પહેલાં યુનિવર્સિટીની કમિટી તેની તપાસ કરશે, તે બાદ સાયંસ એન્ડ ટેકનોલોજી વિભાગ તેના પર નજર રાખશે. અ વિભાગ તે પેપરને સ્ટેટ કાઉન્સિલને મોકલશે જે તેનું નિરીક્ષણ કરશે. તે બાદ ટાસ્ક ફોર્સની મંજૂરી બાદ તેને પ્રકાશિત કરી શકશે.