ભારત અને ચીનની વચ્ચે સીમા પર મે મહિનાથી જ તણાવની સ્થિતી છે. આ દરમિયાન ચીને પહેલીવાર સ્વીકાર્યું કે ગલવાન ઘાટીમાં ઝડપ થઈ હતી. જેમાં સૈનિકોના મોત થયા હતા. આ પહેલા ચીને આ વાત સ્વીકારી નહોંતી. ચીની અખબાર ગ્લોબલ ટાઈમ્સના એડિટરે માન્યું કે ગલવાન ઘાટીમાં ચીનની સેનાને નુકશાન પહોંચ્યુ હતુ અને કેટલાક જવાનોના જીવ ગયા હતા.
ગલવાનમાં ઘર્ષણ સમયે ચીનના સૈનિકો પણ મર્યાનો ચીનનો દાવો
"ચીનના અંદાજે 20 કરતા ઓછા સૈનિકો મોતને ભેટ્યા"
"ચીને ભારતીય જવાનોને બંધક બનાવ્યા હતા"
"ભારતે ચીનના જવાનોને બંધક નહોતા બનાવ્યા"
ગ્લોબલ ટાઈમ્સના એડિટર ઈન ચીફ હુ ઝિજિને રક્ષા મંત્રી રાજનાથ સિંહના એક નિવેદનને ટ્વીટ કરી લખ્યું કે, ‘જ્યાં સુધી મને ખબર છે ત્યા સુધી ગલવાન ઘાટીમાં ઘર્ષણ દરમિયાન ચીની સેનાના મરનારા જવાનોની સંખ્યા ભારતના 20 જવાનોના આંકડાઓથી ઓછી હતી. એટલું જ નહી કોઈ પણ ચીની સૈનિકને ભારતે બંધી નહોતો બનાવ્યો, જ્યારે ચીને ભારતના સૈનિકોને બંધી બનાવ્યા હતા.’
ઉલ્લેખનીય છે કે ગ્લોબલ ટાઈમ્સ ચીનના પીપુલ્સ ડેલીનું અંગ્રેજી અખબાર છે. જે ચીનની સત્તાધારી પાર્ટી ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટીનું જ પબ્લિકેશન છે.
ચીને આ વાત ત્યારે સ્વીકારી છે જ્યારે રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુરુવારે રાજ્યસભામાં ચીન સીમા પર ચાલી રહેલા તણાવની જાણકારી દેશનો આપી હતી. રાજનાથ સિંહનું કહેવું છે કે ભારત તમામ નિયમો અને સમજૂતીઓનું પાલન કરે છે પરંતુ ચીન તરફથી વારંવાર તેનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. તેમજ તેમણે કડક શબ્દોમાં કહ્યું હતું કે દુનિયાની કોઈ તાકાત ભારતને પેંગોંગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવાથી નથી રોકી શકતી.